કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી..

New Update
RG kar Medical Collage

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 

જાણવા મળ્યા મુજબ CBIના વકીલે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. જેનો આરોપીના વકીલે ભારે વિરોધ કર્યો હતો. તમામ આખરી દલીલો બાદ જજ અન્રિમાન દાસને આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ન હોવાનું લાગતા આરોપીને ફાંસીની સજા ફટકારી નથી.CBIએ કોર્ટમાં અનેક મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હતા

આરોપી સંજય રોયને દોષિત ઠેરવવામાં લોકેશન અને સીસીટીવી ફૂટેજ મહત્વપૂર્ણ પુરાવાઓ રજૂ કર્યા હતા. જોકે કોર્ટ સમક્ષ આરોપી સંજયે આરોપોને નકારી કાઢ્યા હતા,અને જણાવ્યું હતુ કે તેને આ કેસમાં ફસાવવામાં આવ્યો છે.

Read the Next Article

ચોમાસાએ સમગ્ર ભારતમાં આપી દસ્તક, આગામી 7 દિવસ ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી

દિલ્હી એનસીઆરના લોકો છેલ્લા ઘણા દિવસોથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. હવે તે રાહનો અંત આવ્યો છે, કારણ કે ચોમાસાના આગમનની માહિતી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર

New Update
rain

દિલ્હી એનસીઆરના લોકો છેલ્લા ઘણા દિવસોથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. હવે તે રાહનો અંત આવ્યો છે, કારણ કે ચોમાસાના આગમનની માહિતી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે જણાવ્યું હતું કે 29 જૂને દિલ્હી એનસીઆર સહિત દેશભરમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું રવિવાર (29 જૂન, 2025) સુધીમાં સમગ્ર દેશને આવરી લેશે.  જ્યારે સામાન્ય તારીખ 8 જુલાઈ છે. આ સામાન્ય કરતાં 9 દિવસ વહેલું થયું છે. આ સાથે, આગામી 7 દિવસ સુધી ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ અપેક્ષા છે અને હવામાન વિભાગે ઝારખંડ (29 અને 30 જૂન) અને ઓડિશા (29 જૂન) માં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે.

હવામાન વિભાગે માહિતી આપી છે કે ચોમાસાએ સમગ્ર ભારતમાં દસ્તક આપી દીધી છે. આ અંગે ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે જણાવ્યું હતું કે આ સમયે આખું ભારત વાદળોથી ભરેલું છે. ખાસ કરીને ઉત્તરપશ્ચિમ ક્ષેત્ર. તેનું કારણ એ છે કે એક નીચા દબાણવાળા ક્ષેત્રનું નિર્માણ થયું છે, ત્યાં ગાઢ વાદળો છે. નીચા દબાણવાળા ક્ષેત્રને કારણે ચોમાસાની સ્થિતિ અનુકૂળ છે અને હવે આખું ભારત છવાઈ ગયું છે. ચોમાસું 29 જૂને રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને સમગ્ર દિલ્હીમાં પહોંચી ગયું છે, જેના કારણે તે સમગ્ર ભારતમાં ફેલાઈ ગયું છે.