આદિત્ય એલ 1એ મારી એક મોટી છલાંગ, ISROએ વધારી આદિત્ય એલ 1ની ભ્રમણકક્ષા, જાણો હવે પૃથ્વીથી છે કેટલે દૂર...

સૂર્ય મિશન પર મોકલવામાં આવેલ ઈસરોના અવકાશયાન આદિત્ય એલ1 એ સૂર્ય તરફ વધુ એક પગલું ભર્યું છે.

New Update
આદિત્ય એલ 1એ મારી એક મોટી છલાંગ, ISROએ વધારી આદિત્ય એલ 1ની ભ્રમણકક્ષા, જાણો હવે પૃથ્વીથી છે કેટલે દૂર...

સૂર્ય મિશન પર મોકલવામાં આવેલ ઈસરોના અવકાશયાન આદિત્ય એલ1 એ સૂર્ય તરફ વધુ એક પગલું ભર્યું છે.આ સ્પેસક્રાફટે એક નવી ભ્રમણકક્ષા એટલે કે ઓર્બિટ હાંસલ કર્યું છે. સાથે જ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ(ISRO) આ માહિતી આપી છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ માહિતી આપતા ઈસરોએ કહ્યું કે આદિત્ય એલ1 મિશનના સૂર્યયાને પૃથ્વીનું બીજું ચક્કર પૂરું કરી લીધું છે. આ માહિતી મંગળવારે બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ના વૈજ્ઞાનિકોએ આપી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ઓપરેશન દરમિયાન મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેરના ઈસ્ટ્રેક/ઈસરો ગ્રાઉન્ડ સ્ટેશનોએ આદિત્ય L1ની સ્થિતિને ટ્રેક કરી હતી.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવે આદિત્ય 282 કિમી x 40225 કિમીની એલ1ની નવી ભ્રમણકક્ષામાં પહોંચી ગયો છે. આગામી પાંચ દિવસમાં, આદિત્ય L1 તેની ત્રીજી પૃથ્વી-બાઉન્ડ જમ્પ કરવાનો પ્રયાસ કરશે. આ માટે 10 સપ્ટેમ્બરે સવારે 2:30 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે.