કેજરીવાલના દાવા સામે અમિત શાહનો પલટવાર, કહ્યું નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન રહેશે

કેજરીવાલના દાવા સામે અમિત શાહનો પલટવાર, કહ્યું નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન રહેશે
New Update

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ' જો ભાજપ જીતશે તો અમિત શાહ પીએમ બનશે, ' આ નિવેદને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પલટલાર કરતા કહ્યું કે "આ દેશના લોકો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અથવા પૂર્વોત્તર બધા સાથે ઉભા છે. મોદીજી ગઠબંધનના તમામ નેતાઓ જાણે છે કે અમે 400 સીટો પાર કરવા જઈ રહ્યા છીએ અને મોદીજી ત્રીજી વખત આ દેશના પીએમ બનશે,

તેથી જ તેઓ આ પ્રકારની ગેરસમજ ફેલાવી રહ્યા છે બીજેપીના બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી અને મોદીજી 2029 સુધી દેશનું નેતૃત્વ કરશે અને મોદીજી આવનારી ચૂંટણીઓનું પણ નેતૃત્વ કરશે.INDI ગઠબંધન માટે કોઈ સારા સમાચાર નથી...તેઓ આવા જુઠ્ઠાણું ફેલાવીને ચૂંટણી જીતી શકતા નથી.

#India #ConnectGujarat #Amit Shah #Narendra Modi #Prime Minister #Kejriwal
Here are a few more articles:
Read the Next Article