ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધનું એલાન, ટ્રેન અને બસ સેવાને પણ થશે અસર

પંજાબ આજે બંધ રહેશે. સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય) અને કિસાન મજદૂર સંઘર્ષ મોરચાએ માંગણીઓના સમર્થનમાં સોમવારે સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી બંધનું એલાન આપ્યું

New Update
panjab

પંજાબ આજે બંધ રહેશે. સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય) અને કિસાન મજદૂર સંઘર્ષ મોરચાએ માંગણીઓના સમર્થનમાં સોમવારે સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી બંધનું એલાન આપ્યું છે. ખેડૂત નેતા સરવણ સિંહ પંધેરે કહ્યુ હતું કે તેમને તમામ વર્ગોનું સમર્થન છે. દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ રહેશે. ટ્રેન અને બસ સેવાને પણ અસર થશે. બસ સેવા પણ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. ખેડૂતો અને દૂધવાળાઓએ પણ બંધના સમર્થનમાં શાકભાજી અને દૂધની સપ્લાય કરવાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 

જો કે, પંધેરે જણાવ્યું હતું કે બંધ દરમિયાન કોઈપણ ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ જશે નહીં. બંધ શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવશે. જ્યારે એસજીપીસીએ પણ ખેડૂતોની હડતાળના સમર્થનમાં તેની ઓફિસો અને સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. ખેડૂત આગેવાનોએ તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકોને ખનૌરી અને શંભુ સરહદે પહોંચવા હાકલ કરી હતી. ખેડૂત નેતા પંધેરે જણાવ્યું હતું કે તેમના તરફથી છેલ્લા 34 દિવસમાં ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પત્રો લખવામાં આવ્યા છે, પરંતુ કોઈએ તેમની માંગણીઓ પર ધ્યાન આપ્યું નથી અને વાટાઘાટો કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.

કૃષિ વિષયો પર સંસદની સ્થાયી સમિતિના અહેવાલ અને સુપ્રીમ કોર્ટની સમિતિના વચગાળાના અહેવાલમાં એમએસપી ગેરન્ટી કાયદો ઘડવાની તરફેણમાં ભલામણો કરવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર તે પણ સ્વીકારવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટ પણ આ મામલે કેન્દ્રને કોઈ નિર્દેશ આપી રહી નથી.

 

Read the Next Article

Rape With Murder: દિલ્હીના નેહરૂ વિહારમાં નવ વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડર

બાળકીના પિતા હોસ્પિટલ બાળકીને લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોએ જણાવ્યુ કે બાળકી સાથે પહેલા દુષ્કર્મ થયુ પછી તેની હત્યા થઇ

New Update
Delhi Rape With Murder

દિલ્હીના નેહરૂ વિહારમાં એક નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા થઇ હતી જેવા સમાચાર મળતા જ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આરોપીને આકરામાં આકરી સજા મળે તેવી લોકોની ઇચ્છા છે. મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પોલીસે આરોપીની ઓળખ પડોશમાં રહેતા નૌશાદ તરીકે કરી છે. આરોપીની ધરપકડ કરવા માટે 7 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમ દિલ્હી સિવાય અલીગઢ, મેરઠ અને ગાઝીયાબાદમાં શોધખોળ કરી રહ્યા છે. પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને બેરીકેડ લગાવી દીધા છે. મોટી સંખ્યામાં પેરામિલિટ્રી ફોર્સ ખડકી દેવામાં આવ્યો છે..

પોલીસના જણાવ્યા અનુસાર શનિવાર રાત્રે નહેરૂ વિહારમાં એક બાળકીનો મૃતદેહ સૂટકેસમાં ભરેલો મળ્યો હતો. સૂચના બાળકીના પિતાએ આપી હતી. બાળકીનો મૃતદેહ પડાશીના બંધ ફ્લેટની અંદર સુટકેસમાં મળ્યો હતો, પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બાળકીના પિતા હોસ્પિટલ બાળકીને લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોએ જણાવ્યુ કે બાળકી સાથે પહેલા દુષ્કર્મ થયુ પછી તેની હત્યા થઇ હતી.

Latest Stories