Connect Gujarat
દેશ

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના:સેનાનું MiG 21 વિમાન ક્રેશ થતાં 2 નાગરિકોના મોત, પાયલોટ સુરક્ષિત

ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ રાજસ્થાનના હનુમાનગઢ પાસે ક્રેશ થયું હતું

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના:સેનાનું MiG 21 વિમાન ક્રેશ થતાં 2 નાગરિકોના મોત, પાયલોટ સુરક્ષિત
X

રાજસ્થાનથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનનાં હનુમાનગઢમાં એરફોર્સનું મિગ-21 વિમાન ક્રેશ થયું છે. પ્રાથમિક વિગતો મુજબ ઘરની છત પર વિમાન પડ્યું હતું. આ દુર્ઘટનામાં 2 ગ્રામીણ નાગરિકોના મોત થયાનું પણ સામે આવ્યું છે. ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ રાજસ્થાનના હનુમાનગઢ પાસે ક્રેશ થયું હતું. આ વિમાને સુરતગઢથી ઉડાન ભરી હતી. જોકે આ દુર્ઘટનામાં પાયલોટ સુરક્ષિત છે.

Next Story