બિહાર : મુઝફ્ફરપુરમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 34 બાળકોને લઈ જતી બોટ પલટી મારી ગઈ, 16 બાળકો ગુમ....

બિહારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં ગુરુવારે સવારે શાળાએ જવા માટે 34 બાળકો બોટમાં સવાર હતા.

New Update
બિહાર : મુઝફ્ફરપુરમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 34 બાળકોને લઈ જતી બોટ પલટી મારી ગઈ, 16 બાળકો ગુમ....

બિહારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં ગુરુવારે સવારે શાળાએ જવા માટે 34 બાળકો બોટમાં સવાર હતા. બોટ પલટી મારી જતાં 16 બાળકો હજુ પણ ગુમ છે. નિક લોકોમાં આ અકસ્માતને લઈને ખુબ ગુસ્સો છે. એવું કહેવાય છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પહોંચવામાં એક કલાકથી વધુનો સમય લાગ્યો. ગુરુવારે શહેરમાં સીએમ નીતિશકુમારના પહોંચતા પહેલા આ દુર્ઘટના ઘટી જેના કારણે તેના પર રાજકીય ઘમાસાણ મચે તેવા એંધાણ છે. હાલ એનડીઆરએફની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. એવું કહેવાય છે કે બોટમાં કેટલીક મહિલાઓ પણ સવાર હતી. બોટ પલટી જવાના સમાચાર ફેલાતા જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગઆ. અકસ્માતની જાણકારી મળતા જ સ્થાનિક ગોતાખોરો બાળકોને શોધવામાં લાગી ગયા છે. આ ઉપરાંત કેટલાક સ્થાનિકો પણ બાળકોને બચાવવા માટે લાગ્યા હતા. 33માંથી ઘણા બાળકોને બચાવી લેવાયા. પરંતુ 16 બાળકો હજુ પણ ગૂમ છે. એવું કહેવાય છે કે બાળકોને બચાવવા માટે ગયેલો એક સ્થાનિક યુવક પણ ગૂમ છે. હાલ રેસ્ક્યૂ વર્ક ચાલુ છે. 

Read the Next Article

અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબકતા 2ના મોત, 18 યાત્રિકો હતા સવાર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

New Update
utn

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર આવેલા ઘોલથીર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબમુસાફરોથી ભરેલો 18 સીટર ટેમ્પો ટ્રાવેલર રુદ્રપ્રયાગથી ઉપર ચઢી રહ્યો હતો,ત્યારે અચાનક ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ જતું રહ્યું અને વાહન સીધું અલકનંદા નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અગસ્ત્યમુનિરતુડા અને ગોચર પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ દળો તથા SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે.SDRF દ્વારા દરિયામાં ખાબકેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છેજ્યારે કેટલાક ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 18 મુસાફરો સવાર હતા. હાલ સુધીના અહેવાલ અનુસાર 2 લોકોના મોત નીપજ્યા છે,અને 7 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અધિકારીઓ દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે.