ભાજપે MPમાં CM માટે નિરીક્ષકોની નિમણૂક કરી,હરિયાણાના CM ખટ્ટર સહિત ત્રણ નેતાને સોંપવામાં આવી જવાબદારી
મુખ્યમંત્રીના નામને લઈને ભાજપમાં મંથન ચાલી રહ્યું છે. પાર્ટીએ આજે (શુક્રવારે) બેઠક પહેલા અભિપ્રાય મતદાન માટે ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરી છે.
BY Connect Gujarat Desk8 Dec 2023 8:03 AM GMT
X
Connect Gujarat Desk8 Dec 2023 8:03 AM GMT
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના નામને લઈને ભાજપમાં મંથન ચાલી રહ્યું છે. પાર્ટીએ આજે (શુક્રવારે) બેઠક પહેલા અભિપ્રાય મતદાન માટે ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરી છે. જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. લક્ષ્મણ અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ આશા લાકડા. એવું માનવામાં આવે છે કે ખટ્ટર અને કે. લક્ષ્મણ ધારાસભ્યો સાથે વન ટુ વન ચર્ચા કરી શકે છે.ભાજપ OBC ચહેરા પર વિચાર કરી રહી છે. આ જ કારણ છે કે પાર્ટીએ નવા ચૂંટાયેલા OBC ધારાસભ્યોની યાદી માગી છે.બેઠક પહેલા આજે (શુક્રવારે) ઓબ્ઝર્વરની નિમણૂક થઈ શકે છે. ભાજપે 10 ડિસેમ્બરે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. ઓબ્ઝર્વર આમાં ધારાસભ્ય પક્ષના નેતા એટલે કે સીએમની જાહેરાત કરશે.
Next Story