મુંબઈ એરપોર્ટ અને તાજમહેલ પેલેસ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
આ ધમકી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને તાજમહેલ પેલેસ હોટલને મુંબઈ એરપોર્ટ પોલીસના ઈમેલ આઈડી પર મેઈલ દ્વારા મોકલવામાં આવી છે. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે તાજમહેલ પેલેસ હોટેલ અને એરપોર્ટ પર બોમ્બથી હુમલો કરવામાં આવશે.
મુંબઈ પોલીસની ટીમે આ મામલાની નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે. હજુ સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી. મેઇલ મોકલનાર આરોપીઓને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં આતંકવાદ સામે ગુસ્સો છે. જોકે, આ હુમલા પછી, ભારત સરકારે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને તોડી પાડ્યા.
આ ઉપરાંત કાશ્મીરમાં આતંકવાદીઓ સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમને ખતમ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, મુંબઈ એરપોર્ટ અને તાજ હોટેલમાં મળેલી બોમ્બ ધમકી ચર્ચાનો વિષય બની રહી છે.