દિલ્હીના મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી, ચાર લોકોના મોત, ઘણા લોકો હજુ પણ દટાયેલા હોવાની આશંકા

દિલ્હીના મુસ્તફાબાદમાં એક મોટો અકસ્માત થયો. દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક ઇમારત ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

New Update
aaa

દિલ્હીના મુસ્તફાબાદમાં એક મોટો અકસ્માત થયો. દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક મકાન ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

બચાવ કામગીરી ચાલુ છે

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડોગ સ્ક્વોડ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને દિલ્હી પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલે જણાવ્યું હતું કે અમને સવારે લગભગ 2:50 વાગ્યે ઘર ધરાશાયી થવાની માહિતી મળી હતી. અમે ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયું કે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને લોકો કાટમાળ નીચે ફસાયેલા હતા. NDRF, દિલ્હી ફાયર સર્વિસ લોકોને બચાવવા માટે કામ કરી રહી છે.

શુક્રવારે દિલ્હીમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો, શુક્રવારે રાત્રે ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઇમારતો ધરાશાયી થયાના અહેવાલો છે.

ગયા અઠવાડિયે દિવાલ પડવાથી એક વ્યક્તિનું મોત થયું 

ગયા અઠવાડિયે આવી જ એક ઘટનામાં, મધુ વિહાર પોલીસ સ્ટેશન નજીક એક નિર્માણાધીન ઇમારતની દિવાલ ધૂળના તોફાન દરમિયાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, દિવાલ નિર્માણાધીન છ માળની ઇમારતની હતી.

અધિક નાયબ પોલીસ કમિશનર (પૂર્વ) વિનીત કુમારે જણાવ્યું કે અમને સાંજે લગભગ સાત વાગ્યે પીસીઆર કોલ મળ્યો. સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે ધૂળના તોફાન દરમિયાન છ માળની બાંધકામ હેઠળની ઇમારતની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. એક વ્યક્તિનું મોત થયું અને બે ઘાયલ થયા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

Read the Next Article

અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબકતા 2ના મોત, 18 યાત્રિકો હતા સવાર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

New Update
utn

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર આવેલા ઘોલથીર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબમુસાફરોથી ભરેલો 18 સીટર ટેમ્પો ટ્રાવેલર રુદ્રપ્રયાગથી ઉપર ચઢી રહ્યો હતો,ત્યારે અચાનક ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ જતું રહ્યું અને વાહન સીધું અલકનંદા નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અગસ્ત્યમુનિરતુડા અને ગોચર પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ દળો તથા SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે.SDRF દ્વારા દરિયામાં ખાબકેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છેજ્યારે કેટલાક ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 18 મુસાફરો સવાર હતા. હાલ સુધીના અહેવાલ અનુસાર 2 લોકોના મોત નીપજ્યા છે,અને 7 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અધિકારીઓ દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે.