/connect-gujarat/media/media_files/2025/02/27/a2ZLm0FGdGQbsw9Vvttz.jpg)
કેન્દ્ર સરકાર ફોજદારી કેસોમાં દોષિત ઠેરવાયેલા રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ લાદવાની વિરુદ્ધ છે. બુધવારે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આનો વિરોધ કર્યો. કહ્યું કે 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવવા પૂરતું છે. આવી ગેરલાયકાત અંગે નિર્ણય લેવો સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે.દોષિત નેતાઓ પર આજીવન પ્રતિબંધની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કેન્દ્રએ કહ્યું, 'અરજીમાં માંગણી કાયદાને ફરીથી લખવા અથવા સંસદને ચોક્કસ રીતે કાયદો બનાવવાનો નિર્દેશ આપવા જેવી છે.'
આ ન્યાયિક સમીક્ષાની સત્તાઓની સંપૂર્ણપણે વિરુદ્ધ છે.એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે 2016માં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 અને 9ની બંધારણીય માન્યતાને પડકારતી PIL દાખલ કરી હતી. તેમણે પૂછ્યું હતું કે રાજકીય પક્ષો એ સમજાવે કે તેઓ સારી છબી ધરાવતા લોકોને કેમ શોધી શકતા નથી.અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોનો ટૂંક સમયમાં અંત લાવવો જોઈએ અને દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ લાદવો જોઈએ.