છત્તીસગઢ પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુરમાં 30 નક્સલવાદીઓને કર્યા ઠાર

નારાયણપુર અને બીજાપુર પોલીસને નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. જવાનોએ નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા

chatigadh
New Update

છત્તીસગઢના બસ્તર વિભાગમાં નક્સલવાદીઓ વિરુદ્ધ જવાનોનું એન્ટી નક્સલ ઓપરેશન સતત ચાલુ છે. આ અભિયાન અંતર્ગત શુક્રવારે નારાયણપુર અને બીજાપુર પોલીસને નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. જવાનોએ નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.

ઘટનાસ્થળેથી જવાનોએ ઓટોમેટિક હથિયારો AK 47, SLR જેવા હથિયારો અને મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરી છે. આ એન્કાઉન્ટરમાં કોઈ જવાનના મૃત્યુની માહિતી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ બળ, DRG અને અર્ધલશ્કરી દળોએ સંયુક્ત ઓપરેશન ચલાવીને નક્સલવાદીઓના ઠેકાણે દરોડો પાડીને 30 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે મારી નખાયેલા નક્સલવાદીઓના મૃતદેહો લઈને શનિવારે જવાનો નારાયણપુર મુખ્યમથકે પહોંચશે, જ્યાં મૃત નક્સલવાદીઓની ઓળખ કરવામાં આવશે. છેલ્લા 8 મહિનામાં અત્યાર સુધી અલગ અલગ એન્કાઉન્ટરમાં 165 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સીમા પર નક્સલવાદીઓની હાજરીની માહિતી મળતાં સુરક્ષાદળના જવાનોને નક્સલ વિરોધી અભિયાન માટે રવાના કરવામાં આવ્યા હતા.

#police #Naxalites #Chhattisgarh #big success #Narayanpur
Here are a few more articles:
Read the Next Article