/connect-gujarat/media/media_files/hp5JGwtYyQthRSMtTv8q.jpg)
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે જાહેરાત કરી કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ છોડી દેશે અને રાયબરેલીથી સાંસદ રહેશે. આ સાથે ખડગેએ મોટી જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે.
નોંધનીય છે કે રાહુલ ગાંધી કેરળના વાયનાડ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024 જીત્યા હતા. કાયદા પ્રમાણે તેણે એક બેઠક છોડવી પડી. મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટ પરથી રાજીનામું આપશે.
તેમણે કહ્યું કે વાયનાડ સીટ પર પણ રાહુલ ગાંધીને લોકોનો પ્રેમ મળ્યો છે, પરંતુ કાયદો તેને મંજૂરી આપતો નથી. જેના કારણે તેઓ વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે અને રાયબરેલી બેઠક પરથી સંસદમાં જશે. તેમણે કહ્યું કે વાયનાડના લોકોને હવે રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધીનું પ્રતિનિધિત્વ મળશે.