ઉદયપુરના પૂર્વ રાજ પરિવારમાં રાજ્યાભિષેકનો વિવાદ વધ્યો,રંગનિવાસ ગેટની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત

ઉદયપુરના રાજવી પરિવારના પૂર્વ સભ્ય અને પૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ મેવાડના નિધન બાદ તેમના મોટા પુત્ર વિશ્વરાજના રાજ્યાભિષેક સમારોહને લઈને વિવાદ છેડાઈ ગયો છે.

New Update
rajgar

ઉદયપુરના રાજવી પરિવારના પૂર્વ સભ્ય અને પૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ મેવાડના નિધન બાદ તેમના મોટા પુત્ર વિશ્વરાજના રાજ્યાભિષેક સમારોહને લઈને વિવાદ છેડાઈ ગયો છે. મહેન્દ્ર સિંહ મેવાડના ભાઈ અને વિશ્વરાજના કાકા અરવિંદ સિંહ મેવાડના પરિવારે આ પરંપરાનું પાલન કરતા અટકાવવા માટે ઉદયપુરના સિટી પેલેસના દરવાજા બંધ કરી દીધા છે. સાથે જ અખબારમાં સામાન્ય સૂચના પ્રસિદ્ધ કરીને એકલિંગ મંદિરમાં અનધિકૃત પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Advertisment

પરંપરા મુજબ, વિશ્વરાજ સિંહ ધૂની દર્શન માટે ઉદયપુર સિટી પેલેસ જશે, પરંતુ સિટી પેલેસ (રંગનિવાસ અને જગદીશ ચોકથી પ્રવેશતા)ના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. રંગનિવાસ ગેટની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.ઉદયપુર સિટી પેલેસે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રશાસન પાસે મદદ માંગી છે. સોમવારે ઉદયપુરના કલેક્ટર અરવિંદ પોસવાલ અને એસપી યોગેશ ગોયલ સિટી પેલેસ પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Advertisment