/connect-gujarat/media/post_banners/ac59ae576df9a81e0e14fea093120e79df559e7b4990706edf8560f79aa4c966.webp)
ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી, સંજય ભંડારી અને વિજય માલ્યા સામેની કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય ટીમ ભાગેડુ વેપારીઓને ભારત લાવવા માટે બ્રિટન જશે.
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે સંરક્ષણ વેપારી સંજય ભંડારી, હીરા વેપારી નીરવ મોદી અને વિજય માલ્યા સહિત ભારતના વોન્ટેડ ભાગેડુ ઉદ્યોગપતિઓના પ્રત્યાર્પણને ઝડપી બનાવવા માટે ટીમ ટૂંક સમયમાં બ્રિટન જવા રવાના થશે.
તમને જણાવી દઈએ કે વિજય માલ્યા વર્ષ 2016માં બ્રિટન ભાગી ગયો હતો. ભારતમાં કિંગફિશર એરલાઈન્સને કેટલીક બેંકો દ્વારા આપવામાં આવેલી રૂ. 9,000 કરોડની લોનની રકમની ચૂકવણી ન કરવાના સંબંધમાં તે વોન્ટેડ છે.