હિંસક થઈ રહ્યું છે ખેડૂત આંદોલન, હરિયાણામાં 15 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ બંધ
BY Connect Gujarat Desk14 Feb 2024 3:47 AM GMT
X
Connect Gujarat Desk14 Feb 2024 3:47 AM GMT
સ્વામીનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવા, એમએસપી પર ગેરેન્ટી, લખીમપુર ખીરી ઘટના પર કડક કાર્યવાહી કરવા જેવી ઘણી માંગોને લઈને ખેડૂતો ફરી કેન્દ્ર સરકારની સામે પડ્યા છે. કેન્દ્ર સરકાર સાથે બે વખત વાત કર્યા બાદ સંયુક્ત કિસાન મોર્ચા અને કિસાન શ્રમિક મોર્ચાએ મંગળવારે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી. મંગળવારે પંજાબથી દિલ્હીની તરફ કૂચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લઈ રહ્યું છે.
પોલીસની સાથે ઝડપમાં અત્યાર સુધી ઘણા પ્રદર્શનકારી અને પોલીસ ઘાયલ થયા છે. કાલે શંભૂ અને ખનૌરી બોર્ડર પર પોલીસ સાથે ઝપાઝપી થઈ. હરિયાણા પોલીસના બેરિકેડિંગ અને તારની વાડની સાથે અણીદાર સીમેન્ટેડ બેરીકેટ્સ હટાવવા પર પોલીસે ખેડૂતો પર પાણી નાખ્યું. તેની સાથે જ આંસૂ ગેસના ગોળા પણ નાખ્યા.
Next Story