દેશનું સામાન્ય બજેટ સંસદમાં રજુ,નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ આખરે આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

New Update
દેશનું સામાન્ય બજેટ સંસદમાં રજુ,નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ આખરે આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્કમટેક્સમાં 8 વર્ષ પછી મોટી રાહત આપી છે. હવે વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઈન્કમટેક્સ ભરવો નહીં પડે. જોકે આ માત્ર નવા ટેક્સ સ્લેબ હેઠળ મળશે. હજુ પણ ઈન્કમટેક્સ રિટર્ન ભરવા માટે બે વિકલ્પ જોવા મળશે.અત્યારસુધી 2.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત હતી. છેલ્લી વખત 2014-15ના બજેટમાં આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.2019-20માં 8 કરોડ લોકોએ આવકવેરો અથવા કોર્પોરેટ ટેક્સ ભર્યો હતો. બજેટમાં નવા સ્ટાર્ટઅપને 3 વર્ષ માટે આપવામાં આવેલી ટેક્સ છૂટ યથાવત્ રાખવામાં આવી છે. જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી રહેશે. જો તમારી આવક 2.5થી 5 લાખની વચ્ચે છે, તો તમારે 5 લાખ - 2.5 લાખ = 2.5 લાખ રૂપિયા પર 5% ટેક્સ ચૂકવવો પડશે. જોકે ઇન્કમટેક્સ એક્ટ કલમ 87A નો લાભ લઈને તમે પણ 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પરનો ટેક્સ બચાવી શકશો.સરકાર 2.5 લાખથી 5 લાખ સુધીની કમાણી પર 5%ના દરે ઇન્કમટેક્સ તો વસૂલે છે, પરંતુ આ ટેક્સને ઇન્કમ ટેક્સ એક્ટના કલમ 87A હેઠળ માફ કરી દે છે, એટલે કે જો કોઈની વાર્ષિક ટેક્સેબલ આવક રૂપિયા 5 લાખ સુધીની હોય તો તેને કોઈ ઇન્કમ ટેક્સ ભરવો પડતો નથી, પરંતુ જો તમારી આવક 5 લાખ 10 હજાર રૂપિયા છે તો તમારે 10 હજાર રૂપિયા પર ટેક્સ ભરવાને બદલે 5.10 લાખ - 2.5 લાખ = 2.60 લાખ પર ટેક્સ ભરવો પડશે.

Read the Next Article

કાશીમાં બની રહ્યુ છે શિવ થીમ પર ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ, આધુનિકતાની સાથે સનાતન ધર્મની દેખાશે ઝલક

વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી રહ્યું છએ.

New Update
vvvg

વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી રહ્યું છએ. આ સ્ટેડિયમ ત્રિશૂળ આકારની ફ્લડ લાઈટ્સ બનાવવામાં આવશે

વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી રહ્યું છએ. આ સ્ટેડિયમ ત્રિશૂળ આકારની ફ્લડ લાઈટ્સ બનાવવામાં આવશે. આ ઉપરાંત સ્ટેડિયમની મુખ્ય બિલ્ડીંગ ડમરુના આકારની બનાવવામાં આવશે. જે ભગવાન શિવના ત્રિશૂળની સુંદરતામાં વધારો કરશે. એટલું જ નહીં, સ્ટેડિયમના પ્રવેશદ્વાર પર બીલીપત્રનો આકાર પણ જોવા મળશે.

સ્ટેડિયમની સીડીઓ પણ કાશીના ઘાટની સીડીઓ જેવા આકારની બનાવવામાં આવી છે. આ સ્ટેડિયમ દેશનું સૌથી અનોખું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ સ્ટેડિયમનું લગભગ 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.બાકીનું કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ સ્ટેડિયમનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2023માં નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

આ સ્ટેડિયમ બનાવવા માટે 451 કરોડ રુપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. જેમાંથી 121 કરોડ જેટલા રુપિયા જમીન સંપાદન પાછળ ખર્ચવામાં આવ્યા છે. જ્યારે BCCI આ સ્ટેડિય 330 કરોડના ખર્ચે બનાવી રહ્યું છે. કાશીમાં ક્રિકેટ સ્ટેડિયમનું બાંધકામ પૂર્ણ થયા પછી બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢની સાથે પૂર્વી યુપીના યુવા ખેલાડીઓ માટે એક મોટું વરદાન સાબિત થાય છે. આ ઉપરાંત એવું કહેવાય છે કે 2026માં યોજાનારી IPL મેચો પણ આ સ્ટેડિયમમાં રમાશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મેચો પણ યોજાશે.

ગંજરીમાં બની રહેલા સ્ટેડિયમને ખાસ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં યોજાનારી મેચોના લાઇવ ટેલિકાસ્ટ માટે 2000 ચોરસ મીટરનો બ્રોડકાસ્ટ રૂમ (BCR) બનાવવામાં આવશે. સેટેલાઇટ અપલિંક એરિયા માટે 20×20 ફૂટનો રૂમ અને 12×12 મીટરનો રૂમ હશે. અહીં ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે. પાંચ પીચવાળા આ સ્ટેડિયમમાં વરસાદી પાણીના નિકાલ માટે ખાસ ડ્રેનેજ સિસ્ટમ પણ હશે.

Latest Stories