સરકારે LIC જીવન વીમા નિગમના કર્મચારીઓના પગારમાં કર્યો વધારો

New Update
સરકારે LIC જીવન વીમા નિગમના કર્મચારીઓના પગારમાં કર્યો વધારો

સરકારે જાહેર ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપની જીવન વીમા નિગમના કર્મચારીઓના પગારમાં 17 ટકાના વધારાને મંજૂરી આપી છે. LIC કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય 1 ઓગસ્ટ, 2022થી પ્રભાવી ગણવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી LICના લગભગ 1 લાખ કર્મચારીઓ અને લગભગ 30,000 પેન્શનરોને રાહત મળશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ નિર્ણય વિશે માહિતી આપતા LICએ કહ્યું કે કેન્દ્ર સરકારે 1 ઓગસ્ટ, 2022થી 1.10 લાખ કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આ વધારાની સાથે LIC કર્મચારીઓને બે વર્ષના પગારનું એરિયર્સ પણ મળશે.

કેન્દ્ર સરકારે NPSમાં યોગદાન એટલે કે LIC કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમમાં યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કર્યું છે, જે 1 એપ્રિલ, 2010ના રોજ જોડાયેલા 24000 કર્મચારીઓને મોટો ફાયદો થશે.

Read the Next Article

'ટ્રમ્પનો ટેરિફ હુમલો પણ ભારતની ગતિને રોકી નહીં શકે..! અમેરિકન એજન્સીએ આશ્ચર્યજનક કારણ આપ્યું...

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, ભારતના આર્થિક વિકાસ પર ખાસ અસર પડશે નહીં, એમ એસપી ગ્લોબલ રેટિંગ્સના મતે.

New Update
1000265927

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, ભારતના આર્થિક વિકાસ પર ખાસ અસર પડશે નહીં,

એમ એસપી ગ્લોબલ રેટિંગ્સના મતે.ભારતનું સોવરિન રેટિંગ આઉટલુક સકારાત્મક રહ્યું છે. નિષ્ણાતો માને છે કે, ભારતનું અર્થતંત્ર આ આંચકાનો સરળતાથી સામનો કરી શકશે. કારણ કે, અમેરિકામાં નિકાસ જીડીપીના માત્ર 2% છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર ભારે ટેરિફ લાદી દીધા છે. આ પછી ભારતીય નિકાસકારો નિરાશ થયા છે, પરંતુ S&P ગ્લોબલ રેટિંગ્સના ડિરેક્ટર યિફાર્ન ફુઆ કહે છે કે, આનાથી ભારતની આર્થિક પ્રગતિ પર કોઈ અસર પડશે નહીં. ભારતનું સોવરિન રેટિંગ આઉટલૂક સકારાત્મક રહેશે. નોંધનીય છે કે, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડ તરીકે, અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે. 7 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, અને બાકીનો 25 ટકા ટેરિફ 28 ઓગસ્ટથી શરૂ થશે. પરંતુ નિષ્ણાતો માને છે કે, ભારતનું અર્થતંત્ર આ આંચકાનો સામનો સરળતાથી કરી શકશે. ફુઆએ બુધવારે એશિયા-પેસિફિક સોવરિન રેટિંગ્સ પર એક વેબિનારમાં જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર વેપાર પર વધુ નિર્ભર નથી. ભારતની અમેરિકામાં નિકાસ GDPના માત્ર 2 ટકા છે. તેથી, આ ટેરિફની ભારતના આર્થિક વિકાસ પર કોઈ મોટી અસર પડશે નહીં.
ગયા વર્ષે મે મહિનામાં, S&Pએ ભારતના સોવરિન રેટિંગ 'BBB-' ને સકારાત્મક દૃષ્ટિકોણ આપ્યો હતો. આ દેશના મજબૂત આર્થિક વિકાસને કારણે હતું. S&Pના તાજેતરના અનુમાન મુજબ, આ નાણાકીય વર્ષમાં ભારતનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે. આ ગયા વર્ષ જેટલો જ છે. ફુઆએ જણાવ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવા મુખ્ય નિકાસ ક્ષેત્રોને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું, "લાંબા ગાળે, અમને નથી લાગતું કે, આ ટેરિફ ભારતના અર્થતંત્ર માટે મોટો ફટકો હશે. તેથી, ભારતનો સકારાત્મક દૃષ્ટિકોણ અકબંધ રહે છે, જ્યારે પૂછવામાં આવ્યું કે શું યુએસ ટેરિફ ભારતમાં રોકાણોને અસર કરશે, ત્યારે ફુઆએ કહ્યું કે, કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોથી 'ચાઇના પ્લસ વન' વ્યૂહરચના હેઠળ ભારતમાં તેમનો વ્યવસાય વધારી રહી છે. આ કંપનીઓ મોટે ભાગે ભારતની વિશાળ સ્થાનિક માંગને પહોંચી વળવા માટે અહીં આવી રહી છે, ફક્ત યુએસમાં નિકાસ કરવા માટે નહીં. ઘણી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે. કારણ કે, અહીં મધ્યમ વર્ગ ઝડપથી વધી રહ્યો છે. જે લોકો ભારતમાં રોકાણ કરી રહ્યા છે. તેઓ ફક્ત યુએસ બજારને લક્ષ્ય બનાવી રહ્યા નથી,"