ભારત સરકાર દ્વારા ડ્રગ્સની માહિતી આપવા માટે ટોલ ફ્રી નંબર લોન્ચ કર્યો.

ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાષ્ટ્રીય નાર્કોટિક્સ હૅલ્પલાઇન ‘માનસ’ની શરૂઆત કરવામાં આવી હતી.

New Update
ind gov

ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાષ્ટ્રીય નાર્કોટિક્સ હૅલ્પલાઇન માનસની શરૂઆત કરવામાં આવી હતી.

ડ્રગ્સની અંગેની માહિતી આપવા માટે ટોલ ફ્રી નંબર 1933 લોન્ચ કર્યો હતો.જે 24 કલાક માટે કાર્યરત રહેશે. માનસહેઠળ વેબ પોર્ટલ અને મોબાઇલ એપ પણ શરૂ કરાઈ છે.તેના પર કોઈ પણ નશીલી દવા સંબંધિત ગુનાની માહિતી આપી શકાશે અને પુનર્વસન-સલાહ અંગે મદદ પણ માંગી શકાશે. આ અંગેની તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. માનસ નો અર્થ માદક પદાર્શ નિષેધ સૂચના કેન્દ્ર’ કે માદક પદાર્થ નિષેધ ગુપ્ત કેન્દ્ર થાય છે.