મહારાષ્ટ્રના પુણેમાં ભયાનક માર્ગ અકસ્માત, 2 બાળકો સહિત 8 લોકોના મોત
BY Connect Gujarat Desk18 Dec 2023 3:29 AM GMT
X
Connect Gujarat Desk18 Dec 2023 3:29 AM GMT
મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત નગર કલ્યાણ હાઈવે પર રાત્રીના સમય થયો હતો. જેમાં 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ પીકઅપ વાન ઓતૂર જિલ્લા નજીક સ્થિત કલ્યાણ તરફ જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી આવતી ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે વાન પલટી ગઈ હતી. જેમાં 8 લોકોના મોત થયા છે.
પાપ્ત માહિતી મુજબ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી લોકોને હોસ્પિટલ લઈ ગઈ હતી. અકસ્માત બાદ તમામ મૃતદેહોને ઓતુરના જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે મૃતકના પરિજનોને જાણ કરી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. પોલીસ પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચે તેની રાહ જોઈ રહ્યાં છે.
Next Story