તાજેતરમાં કોરોના વેક્સીનને લઈને ઘણા ડરામણા દાવાઓ સામે આવ્યા હતા. હવે ICMRએ આ દાવાઓને ખોટા ગણાવ્યા છે. ICMR એ Covaxin ની આડઅસરો પર BHU અભ્યાસ સામે વાંધો ઉઠાવ્યો છે.
ICMR એ કહ્યું કે અમે આ ખરાબ રીતે ડિઝાઇન કરાયેલા અભ્યાસ સાથે જોડી શકતા નથી, જેનો ઉદ્દેશ્ય કોવેક્સિનનું 'સેફ્ટી એનાલિસિસ' રજૂ કરવાનો છે. ICMRના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલે આ અભ્યાસના લેખકો અને જર્નલના સંપાદકને પત્ર લખ્યો છે. દરેકને ICMRનું નામ હટાવવા માટે કહેવામાં આવ્યું છે અને આ માટે એક કોરિજેન્ડમ છાપવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેઓએ અભ્યાસની નબળી પદ્ધતિ અને ડિઝાઇન અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.