I.N.D.I.A ગઠબંધનમાં ફાટ પડી,મમતા બેનર્જીએ કહ્યું- બંગાળમાંથી તો હું એકલી જ ચૂંટણી લડીશ
મમતા બેનર્જીએ ઈન્ડિયા એલાયન્સના ચહેરા તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ કરીને આ પ્રક્રિયાથી પોતાને દૂર કરી લીધા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. મમતાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટીને કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની તમામ બેઠકો પર ચૂંટણી લડવા માગે છે, તેથી જ તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાનો નિર્ણય લીધો છે. મમતા બેનર્જીના મનમાં ક્યાંક ને ક્યાંક વિપક્ષી ગઠબંધનનો ચહેરો બનવાની ઈચ્છા હતી પરંતુ કોઈએ તેમના નામનો પ્રસ્તાવ ના આપ્યો. તેમની વારંવાર દિલ્હીની મુલાકાતોથી પણ કોઈ ફાયદો થયો નથી.
મમતા બેનર્જી બંગાળની ચૂંટણી પછી રાજ્યમાં થયેલી હિંસાના લોહીને છુપાવી શક્યા નથી અને તુષ્ટિકરણની રાજનીતિમાંથી પોતાને બહાર જાહેર કરી શક્યા નથી. ત્યાર બાદ મમતા બેનર્જીએ ઈન્ડિયા એલાયન્સના ચહેરા તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ કરીને આ પ્રક્રિયાથી પોતાને દૂર કરી લીધા હતા. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ અધીર રંજન ચૌધરીએ ફરી એકવાર બંગાળના સીએમ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ચૌધરીએ મંગળવારે (23 જાન્યુઆરી) કહ્યું - મમતા એક તકવાદી છે. અમે તેમની દયા પર ચૂંટણી નહીં લડીએ.અધીરે કહ્યું કે કોંગ્રેસ જાણે છે કે કેવી રીતે પોતાના દમ પર ચૂંટણી લડવી