Connect Gujarat
દેશ

તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ, બે પાઈલોટના મોત….

ભારતીય વાયુસેનાનું એક ટ્રેનર વિમાન સોમવારે સવારે તેલંગાણામાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે જવાનોનાં મોત થયા હતા.

તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ, બે પાઈલોટના મોત….
X

ભારતીય વાયુસેનાનું એક ટ્રેનર વિમાન સોમવારે સવારે તેલંગાણામાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે જવાનોનાં મોત થયા હતા. મેડકની બહાર પરિધિ રાવેલી વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું. IAFના જણાવ્યા અનુસાર, પ્લેનમાં બે પાયલટ હતા. જેમાં એક ટ્રેનર હતો જે નવા કેડેટને પ્લેન ઉડવાનું શીખવી રહ્યો હતો. વિમાને સોમવારે સવારે ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીથી ઉડાન ભરી હતી અને સવારે 8:55 વાગ્યે ક્રેશ થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર થોડીવારમાં જ પ્લેન બળીને રાખ થઈ ગયું હતું. છેલ્લા 8 મહિનામાં એરફોર્સનો આ ત્રીજો વિમાન અકસ્માત છે. આ પહેલાં જૂનમાં ટ્રેઇની એરક્રાફ્ટ કિરણ ક્રેશ થયું હતું. મે મહિનામાં મિગ-21 પ્લેન ક્રેશ થતાં ત્રણ પાયલટના મોત થયાં હતાં. જૂનની શરૂઆતમાં, ભારતીય વાયુસેનાનું કિરણ ટ્રેનર વિમાન કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ભોગપુરા ગામમાં ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું. જેટમાં સવાર બે પાઇલોટ્સે પેરાશૂટનો ઉપયોગ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો.

Next Story