ISRO ચીફ એસ. સોમનાથને કેન્સર:આદિત્ય L1ના લોન્ચિંગ દિવસે ખબર પડી

ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1ના લોન્ચિંગ સમયે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)ના પ્રમુખ એસ. સોમનાથ કેન્સરથી પીડાતા હતા.

New Update
ISRO ચીફ એસ. સોમનાથને કેન્સર:આદિત્ય L1ના લોન્ચિંગ દિવસે ખબર પડી

ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1ના લોન્ચિંગ સમયે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)ના પ્રમુખ એસ. સોમનાથ કેન્સરથી પીડાતા હતા. સોમનાથે એક ઇન્ટરવ્યૂમાં આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે સ્કેનિંગમાં કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. ચંદ્રયાન-3 મિશન લોન્ચ દરમિયાન થોડી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હતી. જોકે, તે સમયે કશું જ સ્પષ્ટ હતું નહીં. તેમણે કહ્યું કે આદિત્ય મિશનના દિવસે જ તેમને આ બીમારીની જાણકારી મળી હતી. જેથી પરિવારના લોકો પરેશાન થઈ ગયા હતા.સોમનાથની સાથે કામ કરનાર અન્ય વૈજ્ઞાનિકો પણ આ સમાચારથી આઘાતમાં હતા. પરંતુ તેમણે આ પડકારજનક વાતાવરણમાં પોતાની જાતને કાબૂમાં રાખી હતી. પરિવાર અને ઈસરોના વૈજ્ઞાનકોને સંભાળ્યા. લોન્ચિંગ પછી જ્યારે તેમણે પેટનું સ્કેનિંગ કરાવ્યું ત્યારે તેમને કેન્સર હોવાની જાણકારી મળી. વધારે તપાસ અને સારવાર માટે તેઓ ચેન્નાઈ ગયા. ત્યા તેમને જાણવા મળ્યું કે તેમને આ બીમારી જેનેટિકલી મળી છે.થોડાં જ દિવસોમાં કેન્સર હોવાની જાણકારી મળી ગઈ. તે પછી સોમનાથે સર્જરી કરાવી. પછી તેમની કીમોથેરાપી ચાલી રહી હતી. સોમનાથે જણાવ્યું કે આખો પરિવાર આઘાતમાં હતો. પરંતુ હવે એવું કશું જ નથી. ટ્રીટમેન્ટ થઇ રહી છે અને દવાઓ પણ ચાલુ છે. આ સમયગાળા દરમિયાન તેમને પરિવાર અને તેમના ફ્રેન્ડ્સનો ખૂબ જ સપોર્ટ મળ્યો.