જમ્મુ-કાશ્મીર : અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી સહિત ત્રણ અધિકારીઓ થયા શહીદ
BY Connect Gujarat Desk13 Sep 2023 2:58 PM GMT
X
Connect Gujarat Desk13 Sep 2023 2:58 PM GMT
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી સહિત ત્રણ અધિકારીઓ શહીદ થયા છે. અધિકારીઓની ઓળખ મેજર આશિષ ધોનક અને કર્નલ મનપ્રીત સિંહ, ડીએસપી હુમાયુ ભટ તરીકે થઈ હતી. કર્નલ મનપ્રીત સિંહ 19 રાષ્ટ્રીય રાઈફલ્સમાં તૈનાત હતા અને કમાન્ડિંગ ઓફિસર હતા.
જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં થયું હતું. ગડોલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ બુધવારે સવારે શરૂ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના પ્રારંભિક વિનિમયમાં એક કર્નલ અને એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન સાંજ સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ત્રણ અધિકારીઓ શહીદ થયા છે.
Next Story