Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીર : ભારતીય સેનાએ આતંકીઓની ઘૂસણખોરીના મોટા પ્રયાસને બનાવ્યો નિષ્ફળ, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીર : ભારતીય સેનાએ આતંકીઓની ઘૂસણખોરીના મોટા પ્રયાસને બનાવ્યો નિષ્ફળ, એક આતંકી ઠાર
X

જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ અખનૂરમાં આતંકીઓની ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. વાત જાણે એમ છે કે, આપણી સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકીઓ પર ગોળીબાર કર્યો છે. જે બાદમાં 4 આતંકીઓની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી છે. સેનાના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ મૃતદેહને પાછળ ખેંચતા જોવા મળ્યા છે.

સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુના અખનૂરમાં સર્વેલન્સ ડિવાઈસ દ્વારા 4 આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિઓ જોવામાં આવી હતી, જેના પછી સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. સેનાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ એક લાશને આંતરરાષ્ટ્રીય સરહદ પાર ખેંચતા જોવા મળ્યા હતા.

Next Story