કેદારનાથ પદયાત્રી માર્ગ પર ભૂસ્ખલન, 3 ના મોત, અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ

કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં ભૂસ્ખલનને કારણે અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે.

New Update
kdr

કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં ભૂસ્ખલનને કારણે અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે.

ગૌરીકુંડથી કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે અકસ્માત થયો હતો. ચિરબાસા પાસે ટેકરી પરથી અચાનક જ કાટમાળ અને પથ્થરો પડ્યા હતા. આ દરમિયાન યાત્રા પર જઈ રહેલા યાત્રીઓ કાટમાળ નીચે દટાયા હતા. જે બાદ કાટમાળમાંથી ત્રણ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 8 ઘાયલ છે. હજુ સુધી કોઈની ઓળખ થઈ નથી.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને રવિવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે કેદારનાથ યાત્રા માર્ગ પર ચિરબાસા નજીક પહાડી પરથી આવતા કાટમાળ અને ભારે પથ્થરોને કારણે શ્રદ્ધાળુઓ દટાયા હોવાની માહિતી મળી હતી.

માહિતી મળતાની સાથે જ NDRF, DDR, YMF વહીવટીતંત્રની ટીમ સહિત યાત્રા રૂટ પર તૈનાત સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. રેસ્ક્યુ ટીમ દ્વારા કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. અન્ય આઠ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Read the Next Article

ચોમાસાએ સમગ્ર ભારતમાં આપી દસ્તક, આગામી 7 દિવસ ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી

દિલ્હી એનસીઆરના લોકો છેલ્લા ઘણા દિવસોથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. હવે તે રાહનો અંત આવ્યો છે, કારણ કે ચોમાસાના આગમનની માહિતી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર

New Update
rain

દિલ્હી એનસીઆરના લોકો છેલ્લા ઘણા દિવસોથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. હવે તે રાહનો અંત આવ્યો છે, કારણ કે ચોમાસાના આગમનની માહિતી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે જણાવ્યું હતું કે 29 જૂને દિલ્હી એનસીઆર સહિત દેશભરમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું રવિવાર (29 જૂન, 2025) સુધીમાં સમગ્ર દેશને આવરી લેશે.  જ્યારે સામાન્ય તારીખ 8 જુલાઈ છે. આ સામાન્ય કરતાં 9 દિવસ વહેલું થયું છે. આ સાથે, આગામી 7 દિવસ સુધી ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ અપેક્ષા છે અને હવામાન વિભાગે ઝારખંડ (29 અને 30 જૂન) અને ઓડિશા (29 જૂન) માં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે.

હવામાન વિભાગે માહિતી આપી છે કે ચોમાસાએ સમગ્ર ભારતમાં દસ્તક આપી દીધી છે. આ અંગે ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે જણાવ્યું હતું કે આ સમયે આખું ભારત વાદળોથી ભરેલું છે. ખાસ કરીને ઉત્તરપશ્ચિમ ક્ષેત્ર. તેનું કારણ એ છે કે એક નીચા દબાણવાળા ક્ષેત્રનું નિર્માણ થયું છે, ત્યાં ગાઢ વાદળો છે. નીચા દબાણવાળા ક્ષેત્રને કારણે ચોમાસાની સ્થિતિ અનુકૂળ છે અને હવે આખું ભારત છવાઈ ગયું છે. ચોમાસું 29 જૂને રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને સમગ્ર દિલ્હીમાં પહોંચી ગયું છે, જેના કારણે તે સમગ્ર ભારતમાં ફેલાઈ ગયું છે. 

Latest Stories