નેપાળમાં પુર સાથે ભૂસ્ખલન, 112 લોકોના મોત-80થી વધુ લોકો ગુમ

નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 112થી પણ વધુ લોકોના મોત થયા છે. જ્યારે 80થી પણ વધુ લોકો ગુમ

New Update
નેપાળ

નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 112થી પણ વધુ લોકોના મોત થયા છે. જ્યારે 80થી પણ વધુ લોકો ગુમ છે. સમગ્ર નેપાળમાં 63 જગ્યાએ મુખ્ય હાઈવે બંધ થઈ ગયા છે. પૂર્વી અને મધ્ય નેપાળનો મોટો ભાગ શુક્રવારથી પાણીમાં ગરકાવ થયો છે.

સરકારે પરિસ્થિતિને જોતાં નેપાળની તમામ સ્કૂલો 3 દિવસ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. નેપાળમાં ભારે વરસાદને કારણે કોસી નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. જેના કારણે હવે બિહાર ઉપર પણ પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તેઓએ છેલ્લાં 40-45 વર્ષોમાં કાઠમાંડુ ખીણમાં આટલું વિનાશક પૂર ક્યારેય નથી જોયું.

Read the Next Article

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ફરી દુર્ઘટના, ઢાબાની છત તૂટી પડતા એક ભક્તાનું મોત, 7થી વધુ ઘાયલ

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ફરી એક વખત ભક્તો સાથે દુર્ઘટના ઘટી છે. ઢાબાની છત તૂટી પડતા એક ભક્તાનું મોત અને અનેક ઘાયલ થયા છે. સોમવાર-મંગળવારે રાત્રે લગભગ 3 વાગ્યે

New Update
baga

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ફરી એક વખત ભક્તો સાથે દુર્ઘટના ઘટી છે. ઢાબાની છત તૂટી પડતા એક ભક્તાનું મોત અને અનેક ઘાયલ થયા છે.

સોમવાર-મંગળવારે રાત્રે લગભગ 3 વાગ્યે મધ્યપ્રદેશના છતરપુર ખાતે આવેલા બાગેશ્વર ધામમાં એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. અહીં એક ધર્મશાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના અદલહાટ ગામના રહેવાસી કાટમાળમાં દટાઈ જવાથી ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

આ ઘટના સમયે તેઓ તેમના પરિવાર સાથે ધર્મશાળામાં સૂઈ રહ્યાં હતા ત્યારે અચાનક દિવાલ ભરી પડી હતી. આ દુર્ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે ગ્વાલિયર રેફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઘાયલોની સારવાર છતરપુરની હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દુર્ઘટનાને લઈને અધિકારીઓએ કહ્યું કે દિવાલ કેમ પડી તેની તપાસ ચાલુ છે. સાથે સરકાર તરફથી મૃતકના પરિવારમાં વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.