Connect Gujarat
દેશ

લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત, રાષ્ટ્રપતિએ ઘરે જઈ આપ્યુ સર્વોચ્ચ સન્માન

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત, રાષ્ટ્રપતિએ ઘરે જઈ આપ્યુ સર્વોચ્ચ સન્માન
X

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ઘરની મુલાકાત લીધી અને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અમિત શાહ હાજર રહ્યા હતા.વડાપ્રધાન મોદીએ 3 ફેબ્રુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ભાજપના સંસ્થાપક સભ્ય નાનાજી દેશમુખ પછી આ સન્માન મેળવનાર તેઓ BJP અને RSS સાથે જોડાયેલા ત્રીજા નેતા છે.

Next Story