/connect-gujarat/media/post_banners/4ff4c23506ef8ade034cba8ca5a2b94431a6a66fc4d414710647cb88d6126ab6.jpg)
મહારાષ્ટ્રના નાસિકમાં એક ભયકંર અકસ્માતની ઘટના બની હતી. જેમા નાસિકના સપ્તશ્રૃંગી ગઢ ઘાટ નજીક એક બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. બસ સપ્તશ્રૃંગી કિલ્લાથી ખામગાંવ તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.
આ દુર્ઘટનાની માહિતી મળતાં જ નાસિકના મંત્રી અકસ્માત સ્થળ પર પહોંચ્યા છે. સપ્તશ્રૃંગી કિલ્લા પર સ્થાનિક રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ દ્વારા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બસ દુર્ઘટનામાં એક મહિલાના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બસમાં કુલ 22 મુસાફરો સવાર હતા. આ અકસ્માત સવારે 6.50 કલાકે થયો હતો. અકસ્માતમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.