મહારાષ્ટ્ર : પાલઘર હાઇવે પર ટ્રકમાં આગ લાગતા ટ્રાફિક જામ, કોઈ જાનહાનિ નહીં....

મુંબઇ તરફ જઇ રહેલી ટ્રકમાં આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટના બાદ લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો

New Update
મહારાષ્ટ્ર : પાલઘર હાઇવે પર ટ્રકમાં આગ લાગતા ટ્રાફિક જામ, કોઈ જાનહાનિ નહીં....

મહારાષ્ટ્રના પાલઘર નજીકના મેળવી હાઇવે પર આજે મંગળવારે મુંબઇ તરફ જઇ રહેલી ટ્રકમાં આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટના બાદ લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે હાઇવે પર વાહનોની લાંબી લાંબી કતાર લાગી જતા ટ્રાફિકજામ થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આજે મંગળવારે વહેલી સવારે માલસામાન ભરેલી ટ્રક મુંબઇ તરફ જઇ રહી હતી. તે વેળા મહારાષ્ટ્રના પાલઘર નજીકમા મેળવી હાઇવે પર અચાનક ટ્રકમાં આગ લાગી હતી.

જોતજોતામાં આખી ટ્રક લપેટમાં આવી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગને પગલે પોલીસનો કાફલો પહોંચી ગયા બાદ લાશ્કરોની મદદથી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરાઇ હતી. લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે મુંબઇ તરફ જતા માર્ગ પર વાહનોની લાંબી લાંબી કતાર લાગી જતા ટ્રાફિકજામ થઇ ગયો હતો. આગ કાબુમાં લીધા બાદ ટ્રાફિક હળવો થયો હતો. આગ શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું છે. આ ઘટનામાં જાનહાની અંગે કોઇ વિગત બહાર આવી નથી.

Read the Next Article

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના, એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી, આઠ લોકોના મોત

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.

New Update
uttrakhnd

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી હતી.

આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, બોલેરો કાર 150  મીટર ઊંડી ખીણમાં પડી  હતી. આ વાહન મુસાફરોથી ભરેલું હતું. આ અકસ્માત સોની બ્રિજ પાસે થયો હતો.

રાહત અને બચાવ કાર્ય શરુ

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બોલેરો ટેક્સી મુવાનીથી બક્તા જઈ રહી હતી. જેમાં 13 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે જ આઠ લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ, વહીવટીતંત્રની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી ગઈ છે. વહીવટીતંત્ર દ્વારા તમામ લોકોને બચાવી લેવામાં આવી રહ્યા છે.

મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી

બોલેરો કાર ખીણમાં ખાબકી તેના કારણો શોધવામાં આવી રહ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનનો કચ્ચરઘાણ નિકળી  ગયો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.