મુંબઈ હુમલાની આજે 14મી વરસી : 26/11નો કાળો દિવસ ક્યારે નહીં ભૂલાશે..!
26 નવેમ્બર 2008ની સાંજ સુધી મુંબઈ રોજની જેમ ફરતું હતું. શહેરની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હતી. લોકો બજારોમાં ખરીદી કરી રહ્યા હતા.
BY Connect Gujarat Desk26 Nov 2022 8:14 AM GMT
X
Connect Gujarat Desk26 Nov 2022 8:14 AM GMT
26 નવેમ્બર 2008ની સાંજ સુધી મુંબઈ રોજની જેમ ફરતું હતું. શહેરની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હતી. લોકો બજારોમાં ખરીદી કરી રહ્યા હતા. કેટલાક લોકો હંમેશની જેમ મરીન ડ્રાઇવ પર દરિયામાંથી આવતી ઠંડી પવનની મજા માણી રહ્યા હતા. પરંતુ જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ મુંબઈના રસ્તાઓ પર ધૂમ મચી ગઈ. તે દિવસે પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મોહમ્મદના 10 આતંકીઓએ મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ અને ફાયરિંગ કરીને આતંક મચાવ્યો હતો. આ આતંકવાદી હુમલાને 14 વર્ષ થઈ ગયા છે. પરંતુ ભારતીય ઈતિહાસનો આ કાળો દિવસ છે જેને કોઈ ઈચ્છે તો પણ ભૂલી શકે તેમ નથી. આતંકી હુમલામાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ ઘાયલ થયા હતા.
Next Story