NIAએ વર્ષ 2024માં 210 આરોપીઓની કરી ધરપકડ,રૂ.19.57 કરોડની મિલકતો જપ્ત કરી

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ  કહ્યું કે તેણે 2024માં 210 આરોપીઓની ધરપકડ કરી હતી. આ સાથે 25 કેસમાં 68 આરોપીઓને દોષિત સાબિત કરીને 100%

New Update
nia

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ  કહ્યું કે તેણે 2024માં 210 આરોપીઓની ધરપકડ કરી હતી. આ સાથે 25 કેસમાં 68 આરોપીઓને દોષિત સાબિત કરીને 100% કન્વિક્શન રેટ મેળવવામાં આવ્યો હતો. આ એજન્સીની રેકોર્ડબ્રેક સિદ્ધિ છે.NIAએ ગુનાઓની વિવિધ કેટેગરીઓ હેઠળ 80 કેસ નોંધ્યા હતા, જેમાં 210 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 2024માં 27 ફરાર ગુનેગારો પણ ઝડપાયા હતા.

આ સિવાય 408 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.આતંકવાદી, ગેંગસ્ટર અને અન્ય ગુનાહિત નેટવર્કને ખતમ કરવાના તેના પ્રયાસોના ભાગ રૂપે, એજન્સીએ 2024માં 19.57 કરોડ રૂપિયાની કુલ 137 મિલકતો જપ્ત કરી.નોંધાયેલા 80 કેસમાંથી 28 ડાબેરી ઉગ્રવાદના હતા. આ કેટેગરીમાં 64 આરોપો સામે 12 ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. આ પછી, 18 કેસ પૂર્વોત્તરમાં વિદ્રોહ સાથે સંબંધિત છે, 7 કેસ જમ્મુ અને કાશ્મીરમાં જેહાદ સાથે સંબંધિત છે, 6 કેસ વિસ્ફોટના છે, 5 કેસ માનવ તસ્કરી સાથે જોડાયેલા છે,

Read the Next Article

દેશની એકમાત્ર ટ્રેન જેમાં ટિકિટ નથી, મુસાફરો 75 વર્ષથી મફતમાં મુસાફરી કરી રહ્યા છે

ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ જરૂરી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં એક એવી ટ્રેન છે જેમાં મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરે છે.

New Update
himachal train

ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ જરૂરી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં એક એવી ટ્રેન છે જેમાં મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરે છે.

ટ્રેનમાં મુસાફરી માટે ટિકિટ જરૂરી છે: ભારતમાં વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક છે અને અહીં દરરોજ 13,000થી વધુ ટ્રેનો દોડે છે. જે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી લઈ જાય છે અને પરંતુ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ હોવી જરૂરી છે. ટિકિટ વિના મુસાફરી કરવાથી ભારે દંડ થઈ શકે છે.

આ અનોખી ટ્રેન ક્યાં ચાલે છે?: ભારતની આ અનોખી ટ્રેનનું નામ ભાખરા-નાંગલ ટ્રેન છે જે તમને ટિકિટ વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે. જેને ઐતિહાસિક વારસો તરીકે ઓળખવામાં આવે છે.

આ ટ્રેન 1948માં શરૂ થઈ હતી અને ત્યારથી તે મુસાફરોને મફત મુસાફરી પૂરી પાડતી રહી છે. આ ટ્રેન હિમાચલ પ્રદેશના ભાખરામાં ચાલે છે.

દરરોજ લગભગ 800 મુસાફરો મુસાફરી કરે છે: ભાખરા-નાંગલ ટ્રેન 1948માં ભાખરા-નાંગલ ડેમના નિર્માણમાં સામેલ મજૂરો અને બાંધકામ સામગ્રીને લાવવા લઈ-જવા માટે શરૂ કરવામાં આવી હતી.

આ ટ્રેન 13 કિમીનું અંતર કાપે છે. આ ટ્રેનમાં દરરોજ લગભગ 800 મુસાફરો મુસાફરી કરે છે. જેમાં સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

તે હવે એક ઐતિહાસિક વારસો બની ગઈ છે: ભાખરા-નાંગલ ટ્રેન પંજાબના નાંગલ અને હિમાચલ પ્રદેશના ભાખરા વચ્ચે દોડે છે. મજૂરોની સુવિધા માટે શરૂ કરાયેલી આ ટ્રેન આજે માત્ર મુસાફરીનું સાધન જ નથી, પરંતુ એક ઐતિહાસિક વારસો પણ બની ગઈ છે.

આ ટ્રેનની મુસાફરી પ્રવાસીઓ માટે ખાસ છે. દેશમાં મફત મુસાફરી પૂરી પાડતી આ ટ્રેન આજે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. શરૂઆતમાં આ ટ્રેનમાં સ્ટીમ એન્જિન હતા જેને ડીઝલ એન્જિનમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે.