મણિપુરમાં 11 મતદાન મથકો પર 22 એપ્રિલે ફરી મતદાન, હિંસા અને તડફોડના બન્યા હતા બનાવ
મણિપુરમાં ઈનર મણિપુર લોકસભા મતવિસ્તારના 11 મતદાન મથકો પર 22 એપ્રિલે ફરી મતદાન થશે.
BY Connect Gujarat Desk21 April 2024 3:12 AM GMT
X
Connect Gujarat Desk21 April 2024 3:12 AM GMT
મણિપુરમાં ઈનર મણિપુર લોકસભા મતવિસ્તારના 11 મતદાન મથકો પર 22 એપ્રિલે ફરી મતદાન થશે. ચૂંટણી પંચે શનિવારે (20 એપ્રિલ) આ અંગે આદેશ જારી કર્યો હતો. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન 19 એપ્રિલે આ બૂથ પર હિંસા અને તોડફોડ થઈ હતી.જે 11 બૂથ પર પુન: મતદાન થશે તેમાં સજેબ, ખુરાઈ, થોંગમ, લેકાઈ બમન કંપુ (ઉત્તર-A), બમન કંપુ (ઉત્તર-બી), બમન કંપુ (દક્ષિણ-પશ્ચિમ), બમન કંપુ (દક્ષિણ-પૂર્વ) નો સમાવેશ થાય છે. ખોંગમેન ઝોન-V(A), ઈરોશેમ્બા, ઈરોઈશેમ્બા મામંગ લીકાઈ, ઈરોઈશેમ્બા મયાઈ લીકાઈ અને ખાડેમ માખા.19 એપ્રિલના રોજ, હિંસા પ્રભાવિત મણિપુર - ઈનર અને આઉટર મણિપુર બેઠકોની બંને લોકસભા બેઠકો માટે 72 ટકા મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન અનેક બૂથ પર ફાયરિંગ, EVM તોડફોડ અને બૂથ કેપ્ચરની ઘટનાઓ નોંધાઈ હતી.
Next Story