લોકો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી Modi Ka Parivar દુર કરી શકે છે:PM મોદી

લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપના ઘણા મોટા નેતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો બાયો બદલ્યો અને તેમના નામ સાથે 'મોદી કા પરિવાર' લખ્યું હતું.

New Update
Modi Ka Parivar

લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપના ઘણા મોટા નેતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો બાયો બદલ્યો અને તેમના નામ સાથે 'મોદી કા પરિવાર' લખ્યું હતું. હવે પીએમ મોદીએ દેશભરના લોકોને તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી 'મોદી પરિવાર'ને દૂર કરવા વિનંતી કરી છે.

પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું, "ચૂંટણી પ્રચાર દરમિયાન, સમગ્ર ભારતમાં લોકોએ મારા પ્રત્યેના તેમના સ્નેહના પ્રતીક તરીકે 'મોદી કા પરિવાર'ને તેમના સોશિયલ મીડિયામાં ઉમેર્યું. આનાથી મને ઘણી શક્તિ મળી. ભારતના લોકોએ NDAને સતત ત્રીજી વખત બહુમતી આપી છે, જે એક પ્રકારનો રેકોર્ડ છે અને અમને દેશની ભલાઈ માટે કામ કરતા રહેવાનો આદેશ આપ્યો છે.

પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું, "અમે બધા એક પરિવાર છીએ તે સંદેશ અસરકારક રીતે પહોંચાડ્યા પછી, હું ફરી એકવાર ભારતના લોકોનો આભાર માનું છું અને વિનંતી કરું છું કે તમે હવે 'મોદી કા પરિવાર'ને તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દો. ભારતની પ્રગતિ માટે પ્રયાસરત એક પરિવારના રુપમાં  આપણુ બંધન  મજબૂત અને અતૂટ છે."

Read the Next Article

મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઇન કર્યા

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

New Update
marathi bhasa

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

વ્યાપારી સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો. હવે તેના જવાબમાં મનસેના કાર્યકરોએ મંગળવારે રેલી કાઢી છે, જ્યાં પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે.

એવું કહેવામાં આવે છે કે આ રેલી પોલીસની પરવાનગી વિના કાઢવામાં આવી હતી અને તેના કારણે થાણે જિલ્લામાં ભારે ટ્રાફિક જામ અને તણાવ સર્જાયો હતો. રેલી શરુ થાય તે પહેલાં જ પોલીસે સવારે 3:30 વાગ્યે મનસેના થાણે અને પાલઘરના વડા અવિનાશ જાધવ સહિત ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મનસેના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલી મંજૂર રૂટ પર નહોતી. તેથી જ પોલીસે કાર્યવાહી કરવી પડી. મહારાષ્ટ્ર એક લોકશાહી રાજ્ય છે અને અહીં કોઈપણ વિરોધ કરી શકે છે, પરંતુ તેના માટે પહેલા પરવાનગી લેવી પડશે.'

આ અંગે પ્રતિક્રિયા આપતાં મનસે નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું, 'આ પરિસ્થિતિ કટોકટી જેવી છે. ગુજરાતી વેપારીઓની રેલીને પૂર્ણ સન્માન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમારા નેતાઓની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. શું આ મહારાષ્ટ્ર સરકાર છે કે ગુજરાત સરકાર? સરકાર ગમે તે કરે, મરાઠી લોકોની આ રેલી ચોક્કસ થશે.'

આ મહિનાની શરુઆતમાં મીરા-ભાયંદર વિસ્તારમાં એક ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં વાત ના કરવાના કારણે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી વેપારી સમુદાયમાં ઘણો ગુસ્સો હતો. વેપારીઓએ આ ઘટનાનો વિરોધ કરવા માટે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું. મનસેએ તેને મરાઠી ઓળખની વિરુદ્ધ ગણાવ્યું હતું અને વિરોધમાં પોતે રેલી કાઢી હતી.

Maharastra | Controversy | MNS | Mumbai | Mumbai Police