લોકો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી Modi Ka Parivar દુર કરી શકે છે:PM મોદી

લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપના ઘણા મોટા નેતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો બાયો બદલ્યો અને તેમના નામ સાથે 'મોદી કા પરિવાર' લખ્યું હતું.

Modi Ka Parivar
New Update

લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપના ઘણા મોટા નેતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો બાયો બદલ્યો અને તેમના નામ સાથે 'મોદી કા પરિવાર' લખ્યું હતું. હવે પીએમ મોદીએ દેશભરના લોકોને તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી 'મોદી પરિવાર'ને દૂર કરવા વિનંતી કરી છે.

પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું, "ચૂંટણી પ્રચાર દરમિયાન, સમગ્ર ભારતમાં લોકોએ મારા પ્રત્યેના તેમના સ્નેહના પ્રતીક તરીકે 'મોદી કા પરિવાર'ને તેમના સોશિયલ મીડિયામાં ઉમેર્યું. આનાથી મને ઘણી શક્તિ મળી. ભારતના લોકોએ NDAને સતત ત્રીજી વખત બહુમતી આપી છે, જે એક પ્રકારનો રેકોર્ડ છે અને અમને દેશની ભલાઈ માટે કામ કરતા રહેવાનો આદેશ આપ્યો છે.

પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું, "અમે બધા એક પરિવાર છીએ તે સંદેશ અસરકારક રીતે પહોંચાડ્યા પછી, હું ફરી એકવાર ભારતના લોકોનો આભાર માનું છું અને વિનંતી કરું છું કે તમે હવે 'મોદી કા પરિવાર'ને તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દો. ભારતની પ્રગતિ માટે પ્રયાસરત એક પરિવારના રુપમાં  આપણુ બંધન  મજબૂત અને અતૂટ છે." 

#પીએમ મોદી #લોકસભાચૂંટણી #મોદી કા પરિવાર
Here are a few more articles:
Read the Next Article