Connect Gujarat
દેશ

પીએમ મોદી આજે રાજસ્થાનની પ્રથમ વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી, જાણો સમગ્ર રૂટ

પીએમ મોદી આજે રાજસ્થાનની પ્રથમ વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી, જાણો સમગ્ર રૂટ
X

ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે દેશના વિવિધ રૂટ પર નવી વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાનો સતત પ્રયાસ કરી રહી છે. આજે દિલ્હી અને જયપુરના મુસાફરોની વંદે ભારત ટ્રેનની રાહનો અંત આવવાનો છે. પીએમ મોદી આજે એટલે કે 12 એપ્રિલ, 2023ના રોજ રાજસ્થાનની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવાના છે. પીએમ મોદી સવારે 11 વાગ્યે રાજસ્થાનના જયપુરથી દિલ્હી માટે આ રૂટ પરની પ્રથમ વંદે ભારત ટ્રેનને રવાના કરશે. પીએમ આ ટ્રેનને દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રવાના કરશે.

દિલ્હી જયપુર વંદે ભારત ટ્રેનની નિયમિત સેવા 13 એપ્રિલ, 2023થી શરૂ થશે. જયપુરથી જનારી આ ટ્રેન અલવર અને ત્યારબાદ હરિયાણાના ગુરુગ્રામમાં 2-2 મિનિટ રોકાશે. પીએમઓનું કહેવું છે કે આ ટ્રેન રાજસ્થાનના મુખ્ય પ્રવાસન સ્થળોને જોડવામાં મદદ કરશે. આ ટ્રેન અજમેરથી દિલ્હી કેન્ટ વચ્ચે માત્ર 5.15 કલાકમાં મુસાફરી કરશે. અગાઉ શતાબ્દી આ રૂટ પર 6.15 કલાકમાં પહોંચતી હતી. આવી સ્થિતિમાં આ રૂટ પર મુસાફરોનો સમય અગાઉની સરખામણીમાં 60 મિનિટ એટલે કે એક કલાકની બચત થશે.

દિલ્હી-જયપુર-અજમેર વંદે ભારત એક્સપ્રેસ અન્ય વંદે ભારત ટ્રેનોની જેમ અઠવાડિયામાં 6 દિવસ દોડશે. આવતીકાલથી આ ટ્રેન નિયમિત રીતે ચલાવવામાં આવશે. આ ટ્રેન બુધવાર સિવાય દરરોજ દોડશે. ટ્રેન નંબર 20977 અજમેરથી સવારે 6.20 વાગ્યે ઉપડશે અને સવારે 7.50 વાગ્યે જયપુર, 9.35 વાગ્યે અલવર, સવારે 11.15 વાગ્યે ગુડગાંવ અને 11.35 વાગ્યે દિલ્હી કેન્ટ પહોંચશે. અને દિલ્હીથી તે ટ્રેન નંબર 20978 તરીકે 18.40 વાગ્યે ઉપડશે. આ પછી તે 18.51 વાગ્યે ગુડગાંવ, 20.17 વાગ્યે અલવર, 22.05 વાગ્યે જયપુર અને 23.55 વાગ્યે અજમેર પહોંચશે.

Next Story