આવતીકાલે PM મોદીનો મુંબઈમાં યોજાશે રોડ શો, મુંબઈ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જારી

New Update
આવતીકાલે PM મોદીનો મુંબઈમાં યોજાશે રોડ શો, મુંબઈ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જારી

લોકસભા ચૂંટણીને લઇને PM મોદી દેશભરમાં જોર-શોરથી વિશાળ રેલીઓને સંબોધી રહ્યા છે, તેમના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે. મહારાષ્ટ્રમાં પ્રચાર અંતર્ગત તેમનો રોડ શો 15 મેના રોજ મુંબઈમાં યોજાશે. મુંબઈમાં લોકસભાની કુલ છ બેઠકો છે અને ત્યાં જીતવા માટે ભાજપે 'મેગા પ્લાન' તૈયાર કર્યો છે.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 મેના રોજ મુંબઈની છ સીટો પર પ્રચાર માટે મુંબઈ આવશે અને તેમનો રોડ શો પણ યોજાશે. મોદીનો ઈશાન મુંબઈ રોડ શો 15 મેના રોજ યોજાશે. આ ઉપરાંત 17મીએ મુંબઈમાં તેમની પ્રથમ જાહેર સભા યોજાશે.

વડાપ્રધાનના રોડ શો માટે વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રોડ શો માટે આવનારી ભીડને જોતા ઘણી જગ્યાએ રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.

આ માટે મુંબઈ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. એલ.બી.એસ. ગાંધીનગર જંકશનથી નૌપાડા જંક્શન અને મેઘરાજ જંકશનથી આરબી કદમ જંકશન સુધીનો મેહુલઘાટકોપર રોડ પરનો રસ્તો બપોરે 2 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી તમામ માટે બંધ રહેશે.

Advertisment