PM નરેન્દ્ર મોદીએ કર્ણાટક ભાજપના 50 લાખ કાર્યકરો સાથે વાતચીત કરી, વિજયનો વિશ્વાસ કર્યો વ્યક્ત

પીએમ મોદી 28 એપ્રિલે ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. તેઓ 7 મે સુધી લગભગ 15 જાહેર સભાઓ અને રોડ શો કરશે.

New Update
PM નરેન્દ્ર મોદીએ કર્ણાટક ભાજપના 50 લાખ કાર્યકરો સાથે વાતચીત કરી, વિજયનો વિશ્વાસ કર્યો વ્યક્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ભાજપના 50 લાખ કાર્યકરો સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. પીએમે કહ્યું કે જો કાર્યકર્તાઓ લોકોને બીજેપીને વોટ આપવા માટે અપીલ કરશે તો લોકો તેમને ચોક્કસ આશીર્વાદ આપશે. બૂથ જીતવાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે કાર્યકર બૂથ સાથે જોડાયેલા પરિવારોને જીતે છે, તેમના દિલ જીતે છે.10 મેના રોજ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે.

પીએમ મોદી 28 એપ્રિલે ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. તેઓ 7 મે સુધી લગભગ 15 જાહેર સભાઓ અને રોડ શો કરશે. મોદીએ વધુમાં કહ્યું કે ભાજપ અને અન્ય પક્ષો વચ્ચે સૌથી મોટો તફાવત અભિગમનો છે. આપણા વિરોધીઓનો એજન્ડા સત્તા પર કબજો કરવાનો છે અને આપણો એજન્ડા 25 વર્ષમાં દેશનો વિકાસ કરવાનો છે, તેને ગરીબીથી મુક્ત કરવાનો છે અને યુવાનોની ક્ષમતાને આગળ વધારવાનો છે. આગામી 25 વર્ષમાં કર્ણાટકની વિકાસ યાત્રાનું નેતૃત્વ કરવા માટે ભાજપ યુવા ટીમ બનાવી રહી છે.

Read the Next Article

મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઇન કર્યા

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

New Update
marathi bhasa

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

વ્યાપારી સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો. હવે તેના જવાબમાં મનસેના કાર્યકરોએ મંગળવારે રેલી કાઢી છે, જ્યાં પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે.

એવું કહેવામાં આવે છે કે આ રેલી પોલીસની પરવાનગી વિના કાઢવામાં આવી હતી અને તેના કારણે થાણે જિલ્લામાં ભારે ટ્રાફિક જામ અને તણાવ સર્જાયો હતો. રેલી શરુ થાય તે પહેલાં જ પોલીસે સવારે 3:30 વાગ્યે મનસેના થાણે અને પાલઘરના વડા અવિનાશ જાધવ સહિત ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મનસેના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલી મંજૂર રૂટ પર નહોતી. તેથી જ પોલીસે કાર્યવાહી કરવી પડી. મહારાષ્ટ્ર એક લોકશાહી રાજ્ય છે અને અહીં કોઈપણ વિરોધ કરી શકે છે, પરંતુ તેના માટે પહેલા પરવાનગી લેવી પડશે.'

આ અંગે પ્રતિક્રિયા આપતાં મનસે નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું, 'આ પરિસ્થિતિ કટોકટી જેવી છે. ગુજરાતી વેપારીઓની રેલીને પૂર્ણ સન્માન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમારા નેતાઓની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. શું આ મહારાષ્ટ્ર સરકાર છે કે ગુજરાત સરકાર? સરકાર ગમે તે કરે, મરાઠી લોકોની આ રેલી ચોક્કસ થશે.'

આ મહિનાની શરુઆતમાં મીરા-ભાયંદર વિસ્તારમાં એક ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં વાત ના કરવાના કારણે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી વેપારી સમુદાયમાં ઘણો ગુસ્સો હતો. વેપારીઓએ આ ઘટનાનો વિરોધ કરવા માટે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું. મનસેએ તેને મરાઠી ઓળખની વિરુદ્ધ ગણાવ્યું હતું અને વિરોધમાં પોતે રેલી કાઢી હતી.

Maharastra | Controversy | MNS | Mumbai | Mumbai Police