પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 25 માં કારગિલ વિજયદિવસના અવસરે કારગિલ યુદ્ધ સ્મારક પર બહાદુર બલિદાનિઓ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અને પીએમમોદીએ વોર મેમોરિયલ પહોંચીને જવાનોને સંબોધિતકર્યાં હતા.
આ પ્રસંગે સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે 'પાકિસ્તાને ભૂતકાળમાં જેટલા પણ દુષ્પ્રયત્ન કર્યાં તેને હંમેશા જડબાતોડ જવાબ મળ્યો છે,પરંતુ પાકિસ્તાને પોતાના ઈતિહાસથી કંઈ શીખ્યું નથી. તે આતંકવાદ અને પ્રોક્સીવોરના સહારે પોતાને પ્રાસંગિક બનાવવાના પ્રયત્ન કરી રહ્યું છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે આજે હું એ સ્થળેથી બોલી રહ્યો છું જ્યાં આતંકના આકા મારો અવાજ સીધો સાંભળી શકે છે, હું આતંકવાદના આ સંરક્ષકોને જણાવવા માગુ છું કે તેમના નાપાક ઈરાદા ક્યારેય સફળ થશે નહીં થાય. અમારાજવાન પૂર્ણ તાકાતથી આતંકવાદને કચડી નાખશેઅને દુશ્મનને જડબાતોડ જવાબ આપશે.'