જમ્મુ કાશ્મીર : પુંછમાં પેટ્રોલિંગ પર નીકળેલા સેનાના 2 જવાનો નદીમાં પૂર આવતા તણાયા, બચાવની કામગીરી હાથ ધરાઇ

New Update
જમ્મુ કાશ્મીર : પુંછમાં પેટ્રોલિંગ પર નીકળેલા સેનાના 2 જવાનો નદીમાં પૂર આવતા તણાયા, બચાવની કામગીરી હાથ ધરાઇ

ભારતીય સેનાના નાયબ સુબેદાર કુલદીપ સિંહ જમ્મુ અને કાશ્મીરમાં પુંછના દૂર્ગમ વિસ્તારમાં એરિયા ડોમિનેશન પેટ્રોલિંગ દરમિયાન નદી પાર કરતી વખતે અચાનક પૂરમાં તણાઈ ગયા હતા. 

જમ્મુમાં સંરક્ષણ વિભાગના પીઆરઓએ જણાવ્યું કે, પુંછમાં પોશાના નદીમાં સેનાના બે જવાનો તણાઈ ગયા છે. ભારતીય સૈન્યના બે જવાનોને શોધવા માટે બચાવ કામગીરી ચાલુ છે જેઓ અચાનક પૂરમાં વહી ગયા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પૂંચ જિલ્લામાં પોશાના નદીના પૂરમાં ભારતીય સેનાના બંને જવાનોના ડૂબી જવાની આશંકા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, બંને સૈનિકો સુરનકોટ વિસ્તારમાં પોશાના ખાતે ડોગરા નાળાને પાર કરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં તેઓ તણાઈ ગયા હતા. તણાઈ ગયેલા જવાનોને શોધવા માટે સેના, પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) દ્વારા સંયુક્ત પ્રયાસો ચાલુ છે. જો કે હજુ સુધી બંને જવાનોનો પત્તો નથી લાગ્યો. પોલીસે જિલ્લાના વિવિધ ભાગોના લોકોને ગુરુવારે રાતથી અવિરત વરસાદ પછી વહેતી નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.

Read the Next Article

PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995

New Update
pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995 માં વિશિષ્ટ સેવા અને નેતૃત્વને માન્યતા આપવા માટે કરવામાં આવી હતી.

આ પુરસ્કારનું નામ ખૂબ જ દુર્લભ અને પ્રાચીન રણના છોડ વેલ્વિટ્શિયા મિરાબિલિસ પરથી રાખવામાં આવ્યું છે, જે ફક્ત નામિબિયામાં જ જોવા મળે છે. આ છોડને સંઘર્ષ, દીર્ધાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ ભાવના આ સન્માન દ્વારા પ્રતિબિંબિત થાય છે.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈત્વ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આમાં ભારત-નામિબિયા સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ડિજિટલ ટેકનોલોજી, સંરક્ષણ, સુરક્ષા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે અમે વેપાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ 'પ્રોજેક્ટ ચિત્તા'માં નામિબિયા તરફથી મળેલા સહયોગ બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો.