દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 76 નવા કેસ નોંધાયા
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો
BY Connect Gujarat Desk11 Sep 2022 5:06 AM GMT
X
Connect Gujarat Desk11 Sep 2022 5:06 AM GMT
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 76 નવા કેસ નોંધાયા છે અને 11 સંક્રમિતોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 47 હજાર 945 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 19 હજાર 264 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 150 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 214 કરોડ 95 લાખ 36 હજાર 744 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 17 લાખ 81 હજાર 723 ડોઝ અપાયા હતા.
Next Story