સંજય મલ્હોત્રા બનશે RBIના ગરવર્નર, 11 ડિસેમ્બરથી ગવર્નરનું પદ સંભાળશે

સંજય મલ્હોત્રા RBIના 26મા ગવર્નર હશે અને વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. શક્તિકાંત દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો છે..

New Update
Sanjay Malhotra

સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ RBIના 26મા ગવર્નર હશે અને વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. શક્તિકાંત દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો છે. આ પછી મલ્હોત્રા 11 ડિસેમ્બરથી ગવર્નરનું પદ સંભાળશે.

કેબિનેટે આજે એટલે કે 9મી ડિસેમ્બરે સંજય મલ્હોત્રાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. શક્તિકાંત દાસને 12 ડિસેમ્બર, 2018ના રોજ ગવર્નર બનાવવામાં આવ્યા હતા. બાદમાં શક્તિકાંત દાસનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.

સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, કાનપુરમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી અને પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસએમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

#Bhartiy Reserve Bank #સંજય મલ્હોત્રા #Sanjay Malhotra #RBI Governer
Latest Stories