/connect-gujarat/media/post_banners/392b42bad032251068d8e0c1407a3fb6166ac90244702f807302573de4daeccd.webp)
દિલ્હીની તિહાર જેલમાં બંધ આમ આદમી પાર્ટી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના મસાજ કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તિહાર જેલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્યેન્દ્ર જૈનને મસાજ કરનાર કેદી રિંકુ પર બળાત્કારનો આરોપ છે. તે બળાત્કારના કેસમાં તિહાર જેલમાં બંધ છે. રિંકુ પર પોક્સો એક્ટની કલમ 6 અને આઈપીસીની કલમ 376, 506 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવવું રહ્યુ કે રિંકુ ફિઝિયોથેરાપિસ્ટ નથી.
ગત દિવસોમાં તિહાર જેલમાં મંત્રી સત્યેન્દ્ર જૈનનો મસાજ કરવાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં જોવામાં આવ્યું હતું કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના બંને પગ, પીઠ અને માથાની મસાજ કરી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપે આમ આદમી પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું છે. બીજી તરફ જ્યારે સત્યેન્દ્ર જૈનનો મસાજનો વીડિયો વાયરલ થયો ત્યારે આમ આદમી પાર્ટીએ તેમનો બચાવ કરતા કહ્યું કે સત્યેન્દ્ર જૈનને કરોડરજ્જુની સમસ્યા છે. તેની બે વખત સર્જરી થઈ હતી.
ડોક્ટરોએ સત્યેન્દ્ર જૈનને ફિઝિયોથેરાપી લેવાની સલાહ આપી હતી. આમ આદમી પાર્ટીએ વિડિયો લીક અંગે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ રાઉઝ એવન્યુ કોર્ટમાં EDને ફરિયાદ કરી હતી. કોર્ટની નોટિસ પર EDએ આજે જવાબ આપવાનો છે. બીજી તરફ બીજેપી પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું કે, "બળાત્કારનો આરોપી રિંકુ સત્યેન્દ્ર જૈનને મસાજ આપતો હતો.
રિંકુ POCSO અને IPC કલમ 376 હેઠળ આરોપી છે, તેથી તે ફિઝિયોથેરાપિસ્ટ નહીં પણ સત્યેન્દ્ર જૈનને મસાજ કરનાર રેપિસ્ટ હતો! ચોંકાવનારો ઘટસ્ફોટ. કેજરીવાલે જવાબ આપવો જોઈએ કે તેણે શા માટે તેનો બચાવ કર્યો અને ફિઝિયોથેરાપિસ્ટનું અપમાન કર્યું?