શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ વીર સાવરકરને ભારત રત્ન આપવા કરી માંગ !

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સહયોગી શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. ઉદ્ધવે કહ્યું- કોંગ્રેસે

New Update
shiv sena

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સહયોગી શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. ઉદ્ધવે કહ્યું- કોંગ્રેસે હવે વીર સાવરકર અને ભાજપે નેહરુનું રટણ કરવું જોઈએ નહીં. આ મહાપુરુષોએ જે કરી શક્યા તે કર્યું, હવે આપણે ભવિષ્યની વાત કરવી જોઈએ.ભાજપ વીર સાવરકરને ક્યારે આપશે ભારત રત્ન? દેવેન્દ્ર ફડણવીસે પત્રો પણ લખ્યા હતા, તેમનું શું થયું? તેઓ ભારત રત્ન કેમ નથી આપતા, ત્યારે પણ પીએમ મોદી ત્યાં હતા. ઉદ્ધવ નાગપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા. આ પહેલા 14 ડિસેમ્બરે પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પણ સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી હતી.કોંગ્રેસ હંમેશા સાવરકરની વિરુદ્ધમાં રહી છે. થોડા વર્ષો પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના માસિક પત્રિકા (મરાઠી) 'શિદોરી'એ તેમના વિશે 'માફીવીર' લખ્યું હતું.