સ્મૃતિ ઈરાનીએ પહેલી વખત રાહુલ ગાંધીના કર્યા વખાણ,કહ્યું તેઓ અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે

Featured | દેશ | સમાચાર'રાહુલ ગાંધીની રાજનીતિમાં પરિવર્તન આવ્યું છે. તેમને લાગે છે કે તેઓ હવે સફળ થઈ રહ્યા છે. જો તેઓ જાતિની વાત કરે છે તો આટલાં વર્ષની રાજનીતિમાં

New Update
rahul

'રાહુલ ગાંધીની રાજનીતિમાં પરિવર્તન આવ્યું છે. તેમને લાગે છે કે તેઓ હવે સફળ થઈ રહ્યા છે. જો તેઓ જાતિની વાત કરે છે તો આટલાં વર્ષની રાજનીતિમાં પહેલી વખત જાતિને સાધન બનાવીને બોલી રહ્યા છે. સંસદમાં તેઓ સફેદ ટી-શર્ટ પહેરે છે, જેનાથી તેઓ યુવા પેઢીને શું સંદેશ આપવા માગે છે એ જાણે છે.

આપણે એવી ગેરસમજમાં ન રહેવું જોઈએ કે તેમણે કોઈપણ પગલું એમ ને એમ ન ભર્યું હોય. તેમનું પગલું સારું લાગે કે ખરાબ, તેઓ અલગ લેવલની રાજનીતિ કરી રહ્યા છે.'2024માં અમેઠી બેઠક પર હાર્યા બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પહેલી વખત હાર વિશે ખૂલીને વાત કરી છે. તેમણે એક યુટ્યૂબ પોડકાસ્ટમાં રાહુલ ગાંધીનાં વખાણ કર્યાં છે. સ્મૃતિએ કહ્યું હતું, રાહુલ એક અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં કાંટાની ટક્કર બાદ સ્મૃતિએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. ત્યારથી આ બેઠક પર એક રાઇવલરી જોવા મળે છે.

Read the Next Article

Air India એ 15 જૂલાઇ સુધી ત્રણ ઈન્ટરનેશનલ રૂટ્સ પર ઉડાણ કરી રદ્દ

ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ 21 જૂનથી 15 જૂલાઈ, 2025 વચ્ચે 3 આંતરરાષ્ટ્રીય રૂટ પર તેની ફ્લાઇટ્સ સંપૂર્ણપણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

New Update
air india1

ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ 21 જૂનથી 15 જૂલાઈ, 2025 વચ્ચે 3 આંતરરાષ્ટ્રીય રૂટ પર તેની ફ્લાઇટ્સ સંપૂર્ણપણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

 આ ઉપરાંત 16 અન્ય રૂટ પર સેવાઓમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. 12 જૂને અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ફ્લાઇટ કામગીરીમાં વિક્ષેપને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલું ફ્લાઇટ શિડ્યૂલને સ્થિર કરવા અને મુસાફરોને છેલ્લી ઘડીની અસુવિધાથી બચાવવા માટે છે. એરલાઇને એ પણ સ્પષ્ટ કર્યું કે આ એક કામચલાઉ નિર્ણય છે અને 15 જૂલાઈ સુધી અમલમાં રહેશે.

ત્રણ આંતરરાષ્ટ્રીય રૂટ જ્યાં ફ્લાઇટ્સ સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી છે તેમાં દિલ્હી-નૈરોબી, અમૃતસર-લંડન (ગેટવિક) અને ગોવા (મોપા)-લંડન (ગેટવિક)નો સમાવેશ થાય છે. ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને અન્ય 16 રૂટ્સ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડવામાં આવી છે.

એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, આ નિર્ણય બે મુખ્ય કારણોસર લેવામાં આવ્યો છે. પ્રથમ બધી ફ્લાઇટ્સ પહેલાં સુરક્ષા ધોરણોની કડક તપાસ માટે સમય આપવો, અને બીજું મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ થવાને કારણે ફ્લાઇટ્સનો સમયગાળો વધ્યો છે.