સંસદમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં કેટલીક પ્રોડક્ટ્સ થઇ સસ્તી અને મોંઘી, વાંચો વધુ...

બજેટમાં નાણામંત્રીએ ઘણી પ્રોડક્ટ્સ અને સેવાઓ પર લાગતા ટેક્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. ટેક્સ ઘટવાથી કેટલીક વસ્તુઓ સસ્તી થશે. તો બીજી તરફ, ટેક્સ વધવાથી ઘણી પ્રોડક્ટ્સના ભાવ પણ વધી જશે.

New Update
Budget 2024

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં નાણામંત્રીએ ઘણી પ્રોડક્ટ્સ અને સેવાઓ પર લાગતા ટેક્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. ટેક્સ ઘટવાથી કેટલીક વસ્તુઓ સસ્તી થશે. તો બીજી તરફટેક્સ વધવાથી ઘણી પ્રોડક્ટ્સના ભાવ પણ વધી જશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી હતી કેકેન્સરની દવાઓ સસ્તી થશે. મોબાઈલ તેમજ મોબાઈલના ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15 ટકા ઘટાડી દેવામાં આવ્યા છે. આ સિવાય સરકારે હવે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરી દીધી છે. તેમજ ચામડા અને ફૂટવેર પરની કસ્ટમ ડ્યૂટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

બજેટ રજૂ થયા બાદ સાંભળો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ..?

તો બીજી તરફજોઈએ તો ટેલિકોમ સાધનો મોંઘા થયા છેતેના પર કસ્ટમ ડ્યુટી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે. બજેટમાં મોબાઈલ ફોનમોબાઈલ ચાર્જરસોના-ચાંદીના ઘરેણાંસોલાર સેલસોલાર પેનલકેન્સરની 3 દવાઓતાંબામાંથી બનેલી વસ્તુઓલિથિયમ બેટરીપ્લેટિનમમાંથી બનેલો સામાનચામડામાંથી બનેલી પ્રોડક્ટ્સઇલેક્ટ્રિક વ્હીકલઈમ્પોર્ટેડ જ્વેલરીવીજળીના તારએક્ષ-રે મશીનફિશ ફીડ વસ્તુઓ સસ્તી થઇ છેજ્યારે PVC બેનરટેલિકોમ ઉપકરણો અને પ્લાસ્ટિકની વસ્તુઓ મોંઘી થઇ હોવાનું બજેટમાં જણાવવામાં આવ્યું હતું.

 

Read the Next Article

હું રાજ્યસભામાં જવાનો નથી, અમે બે બેઠકો ડબલ માર્જિનથી જીતી ગયા છીએ… પેટાચૂંટણીના પરિણામો પર અરવિંદ કેજરીવાલે કહ્યું

આમ આદમી પાર્ટીએ પાંચમાંથી બે બેઠકો જીતી. વિજય બાદ, પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને કહ્યું કે જનતાએ વિશ્વાસ દર્શાવ્યો છે, તેના માટે આભાર

New Update
Arvind Kejarival Press Conforence

ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા. આમ આદમી પાર્ટીએ પાંચમાંથી બે બેઠકો જીતી. વિજય બાદ, પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને કહ્યું કે જનતાએ વિશ્વાસ દર્શાવ્યો છે, તેના માટે આભાર. અમે આ બંને બેઠકો ડબલ માર્જિનથી જીતી. આ વખતે અમારી જીતનું માર્જિન ગયા વખતની સરખામણીમાં લગભગ બમણું છે. પાર્ટીએ ગુજરાતના વિસાવદર અને પંજાબના લુધિયાણા પશ્ચિમમાંથી જીત મેળવી છે. તેમણે સંજીવ અરોરા અને ગોપાલ ઇટાલિયાને અભિનંદન આપતા કહ્યું, જનતાનો પણ આભાર.

કેજરીવાલે વધુમાં કહ્યું કે તે એક મોટી નિશાની છે કે પંજાબના લોકો અમારી સરકારથી ખુશ છે. આજે અમે બે બેઠકો ડબલ માર્જિનથી જીતી ગયા છીએ. 2027 ની સેમિફાઇનલ છે. પંજાબના લોકોએ AAP સરકારને મંજૂરી આપી છે. જનતાએ અમને વિસાવદરમાં પણ સારા માર્જિનથી જીત અપાવી છે, ભાજપ ત્યાં સત્તામાં છે. ફેબ્રુઆરી 2022 માં પંજાબમાં ચૂંટણીઓ યોજાઈ હતી અને 2022 માં ગુજરાતમાં પણ ચૂંટણીઓ યોજાઈ હતી.

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં ભાજપ સત્તા, પૈસા, વહીવટ અને દરેક યુક્તિનો ઉપયોગ કરીને ચૂંટણી લડે છે. આવી સ્થિતિમાં, તેમની સામે જીતવું સરળ નથી. પરંતુ વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો ડબલ માર્જિનથી વિજય દર્શાવે છે કે હવે જનતા ભાજપના 30 વર્ષના કુશાસનથી કંટાળી ગઈ છે. તેઓ હવે પરિવર્તન ઇચ્છે છે. ગુજરાત હવે પરિવર્તનના માર્ગ પર છે.

તેમણે કહ્યું કે ચૂંટણીમાં કોંગ્રેસને 17 અને AAPને 5 બેઠકો મળી. ગુજરાતમાં, ભાજપ આમ આદમી પાર્ટી સાથે સ્પર્ધા કરી રહી છે. 2 બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ હતી. એક પર ભાજપ જીત્યો અને બીજી પર આમ આદમી પાર્ટી જીત્યો. દિલ્હીમાં, કોંગ્રેસે ભાજપને મદદ કરી. વિસાવદરમાં પણ કોંગ્રેસે ભાજપને મદદ કરી. કોંગ્રેસ ભાજપની કઠપૂતળી છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે હું રાજ્યસભામાં નહીં જાઉં. તેમણે કહ્યું કે રાજકીય બાબતોની સમિતિ નક્કી કરશે કે કોણ જશે.