મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથને બ્રિટન પાસેથી ચાગોસ ટાપુ મેળવ્યા બાદ ભારત સરકાર અને પીએમ મોદીનો આભાર માન્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આ વિવાદમાં તમામ સાથી દેશોએ તેમનું સમર્થન કર્યું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટન અને મોરેશિયસ વચ્ચે લગભગ 50 વર્ષથી ચાગોસ આઇલેન્ડને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. ભારત લાંબા સમયથી બંને વચ્ચે આ સમજૂતી માટે પ્રયાસ કરી રહ્યું હતું.
સમજૂતી બાદ ભારતે બંને પક્ષોનું સ્વાગત કર્યું છે.બ્રિટન અને મોરેશિયસે ગુરુવારે 60 ટાપુઓ ધરાવતા ચાગોસ ટાપુઓ અંગે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ મુજબ 'ચાગોસ આઇલેન્ડ' મોરેશિયસને આપવામાં આવશે.ચાગોસ ટાપુઓ પર ડિએગો ગાર્સિયા ટાપુ પણ છે. અમેરિકા અને બ્રિટને અહીં સંયુક્ત સૈન્ય મથક સ્થાપ્યું છે. સમજૂતી અનુસાર યુએસ-યુકે બેઝ અહીં 99 વર્ષ સુધી રહેશે.