મહારાષ્ટ્રમાં CM અંગેનો પેચ ફસાયો, આવતીકાલે મહાયુતીની બેઠકમાં નામ થઈ શકે છે જાહેર !

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને પેચ ફસાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેના મુખ્યમંત્રીપદના બદલામાં ગૃહ અને નાણાં મંત્રાલયની માગ કરી રહી છે,

New Update
cm1

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને પેચ ફસાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેના મુખ્યમંત્રીપદના બદલામાં ગૃહ અને નાણાં મંત્રાલયની માગ કરી રહી છે, તેથી શુક્રવારે મુંબઈમાં યોજાનારી મહાગઠબંધન (ભાજપ + શિવસેના શિંદે જૂથ + NCP અજિત પવાર)ની મહત્ત્વપૂર્ણ બેઠક રદ કરવામાં આવી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે અચાનક સતારા ગયા છે. હવે 1 ડિસેમ્બરને રવિવારે મહાયુતિની બેઠક યોજાય એવી શક્યતા છે. રવિવારે સવાર સુધીમાં ભાજપના 2 નિરીક્ષક દિલ્હીથી મુંબઈ આવશે. તેમની હાજરીમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે, જેમાં 2 નિરીક્ષકની હાજરીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. ભાજપ મરાઠા ચહેરા પર પણ વિચાર કરી શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્યાર બાદ 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથગ્રહણ સમારોહ યોજાઈ શકે છે.