ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન કોણ બનશેની અટકળનો આવ્યો અંત,નોએલ ટાટા બન્યા નવા ચેરમેન

નોએલ ટાટાને ટાટા ગ્રુપની બે સૌથી મહત્વપૂર્ણ ચેરીટેબલ સંસ્થાઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Noel Tata
New Update

કર્મનિષ્ઠ અને ઉદાર દિલ ઉદ્યોગપતિ દિવંગત રતન ટાટાના નિધન બાદ ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન કોણ બનશે તેને લઈને અટકળો શરૂ થઇ હતી.જેનો અંત આવ્યો હતો અને નોએલ ટાટાની નવા ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે. 

મુંબઈમાં ટાટા ગૃપની એક બેઠક મળી હતી.આ બેઠકમાં જ સર્વાનુમતે નોએલ ટાટાની નિમણૂકનો નિર્ણય લેવામાં આવ્યો હતો.રતન ટાટાના નિધન બાદ આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી,જેમાં સૌની સહમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ અંતર્ગત નોએલ ટાટાને ટાટા ગ્રુપની બે સૌથી મહત્વપૂર્ણ ચેરીટેબલ સંસ્થાઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ આ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હતા.હવે તેમને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

#Ratan Tata #ટાટા ટ્રસ્ટ #TATA Trust #નોએલ ટાટા #Noel Tata
Here are a few more articles:
Read the Next Article