18મી લોકસભાનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ, સત્ર જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે

18મી લોકસભાનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસે એક સંયુક્ત સત્ર હશે. આ સત્ર જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે

New Update
sansad1

18મી લોકસભાનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસે એક સંયુક્ત સત્ર હશે. આ સત્ર જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. બંધારણની 75મી વર્ષગાંઠ પ્રસંગે બંધારણ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ એક્સ પર પોસ્ટ કરી કે "સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે અને 20 ડિસેમ્બર 2024 સુધી ચાલશે. તેમણે લખ્યું, "માનનીય રાષ્ટ્રપતિએ 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર 2024 સુધી ભારત સરકારની ભલામણ પર શિયાળુ સત્ર 2024 માટે સંસદના બંને ગૃહોને બોલાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે. 26 નવેમ્બર, 2024 (સંવિધાન દિવસ)ના બંધારણને અપનાવવાની 75 મી વર્ષગાંઠ પર સદનના સેન્ટ્રલ હોલમાં કાર્યક્રમની ઉજવણી કરાશે. " 

Read the Next Article

ઉત્તરાખંડમાં વરસાદ તબાહી મચાવી, બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ, 3-4 દિવસ ભારે વરસાદની આગાહી

ઉત્તરાખંડમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. રુદ્રપ્રયાગમાં અકસ્માતનો ભોગ બનેલી બસનો કાટમાળ મળી શક્યો નથી. ડાઇવર્સ કહે છે કે ઉગ્ર નદીમાં ડૂબકી લગાવવી મુશ્કેલ છે.

New Update
UTTRAKHAND LANDSLIDE

ઉત્તરાખંડમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. રુદ્રપ્રયાગમાં અકસ્માતનો ભોગ બનેલી બસનો કાટમાળ મળી શક્યો નથી. ડાઇવર્સ કહે છે કે ઉગ્ર નદીમાં ડૂબકી લગાવવી મુશ્કેલ છે. ડાઇવિંગ કર્યા પછી પણ કાદવવાળા પાણીમાં કંઈ દેખાતું નથી. આવી સ્થિતિમાં, ગુમ થયેલા આઠ લોકો અને બસને શોધવાનું મુશ્કેલ છે. દરમિયાન, ચમોલી પોલીસે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની માહિતી આપી છે. નંદપ્રયાગ અને ભાનેરપાણી નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાઇવે ખોલવાનું કામ ચાલી રહ્યું છે.

હવામાન વિભાગે ઉત્તરાખંડના વિવિધ જિલ્લાઓમાં આગામી ચાર દિવસ સુધી સતત વરસાદની આગાહી કરી છે. હવામાન કેન્દ્ર દેહરાદૂનના ડિરેક્ટર, વિક્રમ સિંહે માહિતી આપી કે ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌરી, ચંપાવત અને પિથોરાગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ વરસાદ આગામી 3-4 દિવસ સુધી ચાલુ રહેશે. નૈનિતાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેહરાદૂન, રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢમાં ભારે વરસાદ પડી શકે છે. પહાડી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ભૂસ્ખલનનો પણ ભય છે. આવી સ્થિતિમાં, ચારધામ યાત્રાળુઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ વખતે ચોમાસું સામાન્ય સમય કરતા 21 જૂને ઉત્તરાખંડ પહોંચ્યું હતું. કુમાઉ થઈને રાજ્યમાં પ્રવેશ કરનાર ચોમાસું હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયું છે. હરિદ્વારના કેટલાક વિસ્તારોને બાદ કરતાં, સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે, આ વર્ષે 10 થી 15 ટકા વધુ વરસાદ પડી શકે છે.

Latest Stories